અમરેલી : જાફરાબાદ દરિયામાં ઈજાગ્રસ્ત ખલાસીનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જાણો વિગત
અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદરથી આશરે 60 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હલચલ મચી ગઈ. કોસ્ટ ગાર્ડની સમયસરની કામગીરીને કારણે ખલાસીનો જીવ બચી ગયો. મળતી માહિતી અનુસાર, ‘મહેશ્વરી સાગર’ નામની માછીમારી બોટમાં કાર્યરત ખલાસી ભીખુ નારણભાઈ દરિયાની વચ્ચે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બોટ પરથી તાત્કાલિક મદદની માગણી થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ એક્શનમાં આવી હતી. કોસ્ટ ગાર્ડની ટીમે ઝડપી પ્રતિસાદ આપતાં 30 નોટિકલ માઇલના અંતરે પહોંચીને ખલાસીને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યો હતો. દરિયાની ઉગ્ર લહેરો અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડના જવાનોની કુશળ કામગીરી પ્રશંસનીય રહી હતી. રેસ્ક્યૂ બાદ ઈજાગ્રસ્ત ખલાસીને તરત જ બોટમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ દરિયા કિનારે ખસેડી વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ…







