સોમાલિયાના દરિયામાં જહાજ હાઇજેક, 6 ભારતીયો સહિત 10 ક્રૂ લાપતા

સોમાલિયાના પંટલેન્ડ તટ નજીક દરિયાઈ ચાંચિયાઓએ એક કાર્ગો જહાજને હાઇજેક કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ફેલાઈ છે. કેમરૂનના ધ્વજ હેઠળ ચાલતું M/V LUTUF જહાજ સોમાલિયાના દરિયાકાંઠે સશસ્ત્ર ચાંચિયાઓના કબજામાં ગયું છે. જહાજમાં 10 સભ્યોનો ક્રૂ હતો, જેમાં 6 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. જહાજ તુર્કીના સૈન્ય તાલીમ કેન્દ્ર માટે હથિયારો, કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેટેલાઇટ સાધનો લઈ જઈ રહ્યું હતું. 17 ઑગસ્ટે પંટલેન્ડના એઇલ જિલ્લામાં મરેયો નજીક આ જહાજ પર હુમલો થયો હતો. સમુદ્રી સુરક્ષા અહેવાલો મુજબ આશરે આઠ સશસ્ત્ર લોકોએ જહાજ પર ચઢીને તેનો કબજો મેળવી લીધો હતો. ત્યારબાદ જહાજને નુગાલ કાંઠા તરફ લઈ જવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. જહાજ અને તેના ક્રૂની હાલની સ્થિતિ અંગે હજુ સંપૂર્ણ અને સ્વતંત્ર માહિતી ઉપલબ્ધ નથી. જહાજમાં કોણ-કોણ સવાર હતા?…

UAE અને સાઉદી અરબમાં ભારતીયોને ફાંસની સજાના આંકડા ચિંતાજનક, કાનુની સહાય મોટેભાગે નિષ્ફળ

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં તાજેતરમાં બે ભારતીય નાગરિકોને અલગ અલગ હત્યાના કેસમાં ફાંસી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે આ વ્યક્તિઓની ઓળખ મુહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલ તરીકે થઈ છે. તે મૂળ કેરળનો હતો. આ ઘટના વિદેશમાં, ખાસ કરીને યુએઈ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિકોની ચિંતાજનક સ્થિતિ તરફ ધ્યાન દોરે છે. કેરળના મુહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને અનુક્રમે એક અમીરાતી નાગરિક અને એક ભારતીય નાગરિકની હત્યા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.યુએઈની સર્વોચ્ચ અદાલત (કોર્ટ ઓફ કેસેશન) એ તેમની સજાને સમર્થન આપ્યું અને તેમને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ ફાંસી આપવામાં આવી. આ પણ વાંચો :- મસ્કને ઝટકો, લોન્ચીંગની થોડી જ ક્ષણોમાં સ્પેસએક્સ સ્ટારશિપ…