મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો શુભારંભ
મહિલાઓની આર્થિક સદ્ધરતા અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. (મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય) દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનો મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે શુભારંભ કરાવ્યો હતો. મંત્રીએ ઉદ્ઘાટન બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓ નિહાળી હતી તથા મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ના શુભારંભ પ્રસંગે મહિલા અને બાળ વિભાગના સચિવ રાકેશ શંકર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના એમ.ડી. પી. એ.નિનામા, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના જનરલ મેનેજર રીટા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ‘મહિલા…
જામનગરઃ CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ, આજે થશે બ્રિજનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી 622.52 કરોડના કુલ 69 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ દિવસે મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી, અને 30 ગાડીઓના કાફલા સાથે રૂટનું રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત થનારા કામોની વિગતો જામનગર એરપોર્ટથી સાત રસ્તા બ્રિજ અને સભા સ્થળ સુધીના રૂટ પર 30 જેટલી ગાડીઓના કાફલા સાથે રિહર્સલ કરવામાં આવી. શહેરમાં મુખ્યમંત્રી દ્વારા કુલ 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે. – જામનગર મનપા: 33.89 કરોડના કામો – પશુપાલન વિભાગ: 13 કામો – માર્ગ અને મકાન વિભાગ: 64.03 કરોડના 34 કામો – પોલીસ વિભાગ: 20.36 કરોડનું 1 કામ – જિલ્લા આયોજન કચેરી: 0.09 કરોડનું 1 કામ – જિલ્લા ગ્રામ…
પોષી પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે મહાકુંભ શરૂ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
વિશ્વનો સૌથી મોટો, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો ‘મહાકુંભ 2025’ આજે પવિત્ર શહેર પ્રયાગરાજમાં શરૂ થયો. આ શુભ પ્રસંગે, પીએમ મોદીએ તમામ ભક્તો, સંતો, મહાત્માઓ, કલ્પવાસીઓ અને મુલાકાતીઓનું સ્વાગત કર્યું અને તેમને મહાકુંભના પ્રથમ સ્નાન માટે શુભકામનાઓ પાઠવી. -> પીએમ મોદીએ સોશિયલ :- મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે, આજથી પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર મહાકુંભ શરૂ થઈ ગયો છે. આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ દિવ્ય પ્રસંગે, હું બધાને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.” હું ઈચ્છું છું કે ભારતીય આધ્યાત્મિક પરંપરાનો આ વિશાળ તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મહાકુંભના પ્રથમ સ્નાનની શુભેચ્છા પાઠવી. -> સીએમ યોગીએ શુભેચ્છાઓ પાઠવી :- પોતાના સંદેશમાં સીએમ…









