હાડ થીજવતી ઠંડી માટે IMDની ભયાનક ચેતવણી: 27 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ, પારો 5 ડિગ્રી સુધી ગગડશે
સમગ્ર ઉત્તર ભારત હાલ કડકડતી ઠંડી અને ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. IMD મુજબ 27 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. સવારના સમયે દૃશ્યતા શૂન્યની નજીક પહોંચી શકે છે, જેના કારણે રસ્તા, રેલ અને હવાઈ પરિવહન પર ભારે અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો તીવ્ર ઘટાડો નોંધાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 22 ડિસેમ્બરે ‘કોલ્ડ ડે’ની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે બિહારમાં 22થી 26 ડિસેમ્બર દરમિયાન કડક ઠંડી પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ રાત્રિના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે. હિમાલયી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 22, 23, 27 અને 28 ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા થવાથી ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં પહોંચશે, જેના કારણે ઠંડી વધુ કડક બનશે. બીજી તરફ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 27 અને 28 ડિસેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં પણ ધુમ્મસનો વ્યાપ જોવા મળશે. રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર મધ્યપ્રદેશમાં 23 ડિસેમ્બરે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે, જ્યારે ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોમાં 25 ડિસેમ્બર સુધી ધુમ્મસ જનજીવનને અસર કરી શકે છે. IMD એ લોકોને વહેલી સવારે મુસાફરી કરતી વખતે ખાસ સાવચેતી રાખવાની, ગરમ કપડાં પહેરવાની અને ઠંડીથી બચવા જરૂરી તકેદારી અપનાવવાની સલાહ આપી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિ વધતા ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું સર્જાઈ શકે છે, જે 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કાકીનાડા નજીક, માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરશે. તેમણે જણાવ્યું હતું કે હાલ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રચાયેલ ડિપ્રેશન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ હાલ ગોવાથી 450 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મુંબઈથી 430 કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનશે, પરંતુ હાલ ભારતીય દરિયાકાંઠા પર તેની સીધી અસર થવાની શક્યતા નથી. છતાં પણ દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની આશંકાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્ય પ્રશાસનોને તાત્કાલિક તૈયારી રાખવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in








