ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં 314 સિંહોના મૃત્યુનો સ્વીકાર કર્યો, સંરક્ષણ પ્રયાસોની રૂપરેખા આપી
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષ અને એક મહિનામાં કુલ 314 સિંહોના મોત થયાનું રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં સ્વીકાર કરવામાં આવ્યું છે. શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી પૂરી પાડતા જણાવ્યું છે કે 31 જાન્યુઆરી 2026ની સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 911 સિંહોની સંખ્યા નોંધાઈ છે, જેમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળનો સમાવેશ થાય છે. મૃત્યુની વિગતો સરકારના આંકડા મુજબ, 314 સિંહોના મૃત્યુમાંથી 75 સિંહ, 91 સિંહણ અને 148 સિંહબાળનો સમાવેશ થાય છે. વન વિભાગના આંકડાઓ અનુસાર, 251 સિંહોના મૃત્યુ કુદરતી કારણોસર થયા છે, જેમાં 58 સિંહ, 67 સિંહણ અને 126 સિંહબાળનો સમાવેશ થાય છે. જ્યારે 63 સિંહોના મોત અકુદરતી કારણોસર થયા છે, જેમાં 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળનો…







