વર્ષ 2026માં 4 માર્ચે ઉજવાશે રંગોનો તહેવાર ધુળેટી

સનાતન ધર્મમાં હોળી અને ધુળેટીનું વિશેષ મહત્વ છે. ફાગણ મહિનાની પૂર્ણિમા પછી ઉજવાતો આ રંગોત્સવ માત્ર રંગોનો તહેવાર જ નહીં, પરંતુ પ્રેમ, ભાઈચારા અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2026માં ધુળેટી 4 માર્ચ, બુધવારના રોજ ઉજવાશે. પંચાંગ અને હિંદુ કેલેન્ડરની ગણતરી મુજબ, હોળી દહન પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે, જ્યારે બીજા દિવસે રંગોની ધુળેટી ઉજવાય છે. લોકો એકબીજાને રંગ-ગુલાલ લગાવી શુભેચ્છાઓ પાઠવે છે અને આનંદમય વાતાવરણ સર્જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળી અનિષ્ટ પર સદગુણના વિજયનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા આ તહેવાર સાથે જોડાયેલી છે, જેમાં સત્ય અને ભક્તિની જીત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને હોળી અતિપ્રિય હતી. ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં 40 દિવસ સુધી વિવિધ પ્રકારની હોળી ઉજવાય છે. અહીં લઠ્ઠમાર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. આ વર્ષે મેમનગરમાં માનવમંદિર ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપતી ‘વૈદિક હોળી’ પ્રગટાવવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પરંપરાગત હોળી પૂજન વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને પ્રગટાવવામાં આવેલી હોળીના દર્શન-પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હોળીનું આ પવિત્ર પર્વ અસત્ય પર સત્યના વિજયનું અને રંગોનું પર્વ છે. આ તહેવાર આપણા સૌના જીવનમાં રાગ-દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે. આપણે સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે જેનાથી પર્યાવરણનું પણ જતન થાય.…

હોળી-ધૂળેટી તહેવારો નિમિત્તે 1300 વધારાની બસો દોડાવશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ

હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે વિશેષ આયોજન જાહેર કર્યું છે. તહેવારો દરમિયાન મુસાફરોને સરળ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત મુસાફરી મળી રહે તે માટે નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7500 જેટલી વધારાની ટ્રિપો ચલાવવામાં આવશે આ વધારાની બસો દ્વારા અંદાજે 7500 જેટલી ટ્રિપો સંચાલિત કરવામાં આવશે. શહેરોમાં રોજગારી માટે રહેતા લોકો પોતાના ગામડે જઈ પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે આ સુવિધા ખાસ ઉપયોગી સાબિત થશે. કયા રૂટ પર રહેશે ખાસ વ્યવસ્થા? હોળી-ધૂળેટીના દિવસોમાં ખાસ કરીને નીચેના શહેરોમાંથી વધારાની બસોની વ્યવસ્થા રહેશે: – અમદાવાદ – રાજકોટ – અમરેલી –…