પુણ્ય કમાવવાનો અવસર: માઘ પૂર્ણિમા પર ‘રવિ પુષ્ય યોગ’નો મહાસંયોગ

હિન્દુ ધર્મમાં માઘ માસની પૂર્ણિમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે અને વર્ષ 2026માં આ દિવસ શ્રદ્ધાળુઓ માટે બમણું પુણ્ય લઈને આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવાતી આ પૂર્ણિમા માઘ સ્નાનનો અંતિમ દિવસ છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી ઉતરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. તેથી, ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું ફળ મળે છે. આ વર્ષે રવિવારે આવી પૂર્ણિમા સૂર્ય ઉત્તરાયણમાં હોવાને કારણે સૌભાગ્ય અને આરોગ્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે. રવિ પુષ્ય યોગ આ વર્ષે માઘ પૂર્ણિમા પર સવારે 7:09 થી 11:58 સુધી ‘રવિ પુષ્ય યોગ’નો સંયોગ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલું દાન અને પૂજા અક્ષય ફળ આપે છે. શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ સમય 5:24 થી…

Labh Panchami 2025 : શું છે લાભ પાંચમનું મહત્વ, જાણી લો શાસ્ત્રોક્ત મહત્ત્વ અને પૂજા વિધિ

દિવાળીના પર્વના અંતિમ દિવસ તરીકે ઉજવાતી લાભ પંચમી (સૌભાગ્ય પંચમી અથવા જ્ઞાન પંચમી) હિંદુ પંચાંગ મુજબ કારતક સુદ પંચમના દિવસે આવે છે. આ શુભ દિવસને વેપારીઓ માટે નવું વર્ષ ગણવામાં આવે છે, કારણ કે દિવાળી બાદ આ દિવસે નવા હિસાબ-કિતાબ (લેડજર) ખોલવાની પરંપરા છે. શાસ્ત્રો મુજબ, લાભ પંચમીના દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યવસાયમાં નફો, ઘરમાં સમૃદ્ધિ અને આખું વર્ષ સુખ-સૌભાગ્ય મળે છે. લાભ પંચમીનો શાસ્ત્રોક્ત મહત્ત્વ – “લાભ” નો અર્થ — નફો, પ્રગતિ અને સફળતા – “સૌભાગ્ય” નો અર્થ — સુખ, સમૃદ્ધિ અને શુભ ફળ – આ દિવસને “ગુજરાતી નવું વર્ષ શરૂ થયા પછીનો સૌથી શુભ દિવસ” પણ કહેવામાં આવે છે. ઘણા વેપારીઓ આ દિવસે નવા ખાતા ખોલી દેવી લક્ષ્મી અને વિઘ્નહર્તા…

NAVRATRI 2025 : આજે સાતમાં નોરતે કરો કૃપાળુ અને ભયંકાર રૂપ ધરાવતી મા કાલરાત્રિને પ્રસન્ન; જાણો પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી

આજે નવરાત્રીનો સાતમો દિવસ છે, જે મા કાલરાત્રિને સમર્પિત હોય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંથી સાતમો રૂપ ગણાતી મા કાલરાત્રિને અંધકારની દેવી, વિનાશકાળી શક્તિ, અને પાપ નાશક શક્તિ તરીકે પૂજવામાં આવે છે. તેમ છતાં, તેઓ પોતાના ભક્તો માટે સદાય રક્ષિકા અને કલ્યાણકારી રહે છે.   મા કાલરાત્રિનું દર્શન માત્ર ભય માટે નહીં, પણ આંતરિક શક્તિ, વિરોધી શક્તિઓનો નાશ, અને મૃત્યુ પર વિજય માટે પણ કરવામાં આવે છે. આવો જાણીએ આજે સાતમા નોરતને વિશેષ બનાવતી મા કાલરાત્રિની પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી વિશે સંપૂર્ણ માહિતી.   માતા કાલરાત્રિ – કોણ છે આ ભયંકાર રૂપ? મા કાલરાત્રિનો જન્મ ત્યારે થયો હતો, જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ ખૂબ વધી ગયા હતા. પૌરાણિક માન્યતા અનુસાર, દેવી દુર્ગાએ દુષ્ટોનો…

NAVRATRI 2025 : છઠ્ઠા નોરતે દેવી કાત્યાયનીની કરો પૂજા; વિધિ, મંત્રો અને પ્રસાદની સંપૂર્ણ માહિતી

નવરાત્રી એ માતા દુર્ગાની ઉપાસના માટેનો પાવન તહેવાર છે, જે નવ દિવસ સુધી ચાલી રહ્યો હોય છે. દરેક દિવસે માતાના અલગ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. છઠ્ઠો નોરત, શક્તિ અને યોગશક્તિનું પ્રતીક ગણાતી દેવી કાત્યાયનીના ઉપાસનાનો દિવસ છે. આ લેખમાં આપને મળશે દેવી કાત્યાયનીના પૂજનની વિધિ, મંત્રો અને પ્રસાદ વિશે સંપૂર્ણ માહિતી.   દેવી કાત્યાયની કોણ છે? દેવી કાત્યાયની, માતા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે. દેવીના આ રૂપમાં તેઓ દાનવોનો સંહાર કરતી ‘દુર્ગા’ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે દેવી કાત્યાયનીની કૃપાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને ભક્તને ભયમુક્ત જીવન મળે છે.   છઠ્ઠા નોરતનો શુભ રંગ – લીલો – લીલો રંગ દેવી કાત્યાયનીનો પ્રિય રંગ માનવામાં આવે છે. – આ રંગ બુધ ગ્રહ સાથે…

નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની થાય છે પૂજા: જાણો પૂજા વિધિ, કથા, મંત્ર અને આરતી

નવરાત્રીના નવ પાવન દિવસોમાં દરેક દિવસ દુર્ગાના એક વિશિષ્ટ સ્વરૂપને સમર્પિત છે. નવરાત્રીના ચોથા દિવસે (ચતુર્થ નોરતુ) માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દેવીનું નામ “કૂષ્માંડા” એ રીતે પડ્યું કારણ કે દેવીએ પોતાના હાસ્યથી બ્રહ્માંડની રચના કરી — ‘કૂષ્મા’ એટલે ‘ઉર્જા’ અને ‘આંડા’ એટલે ‘બ્રહ્માંડ’.   દેવીઓમાં “સૂર્યરૂપા” માતા કૂષ્માંડા સૂર્યમંડળની અંદર નિવાસ કરનારી છે — એવું કહેવાય છે કે માત્ર ઇમનાજ એવી શક્તિ છે જે સૂર્યના તીવ્ર તાપને સહન કરી શકે છે. દેવીએ બ્રહ્માંડની રચના કરતા પહેલાં ચારેય બાજુ અંધકાર હતો, અને તેમની મંદ મલકાવટથી આખું બ્રહ્માંડ પ્રકાશિત થયું.   પૂજા વિધિ કળશ સ્થાપના અને તેમાં દેવીઓને આવાહન કરો. માટીના ઘાણાંમાં જ્વાર વાવવો. માતા દુર્ગાની મૂર્તિ કે ચિત્રની સામે દીવો પ્રગટાવો. તાંબામાં જળ લઈને…

NAVRATRI 2025 : માતા ચંદ્રઘંટાની પૂજા થશે બે દિવસ સુધી, જાણો આરતી અને મંત્ર વિષે

સામાન્ય રીતે નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે, પણ આ વર્ષે તે 10 દિવસ સુધી ઉજવાશે. આ વિશેષતા તૃતીયા તિથિનું બે દિવસ સુધી ચાલવાનું સંયોગ બનવાથી શક્ય બન્યો છે. પંચાંગ મુજબ, તૃતીયા તિથિ 24 સપ્ટેમ્બર સવારે 4:51  થી શરૂ થઈ 25 સપ્ટેમ્બર સવારે 7:06 સુધી રહેશે. આથી માતાજીના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા સતત બે દિવસ સુધી કરવામાં આવશે.   નવરાત્રીનું પાવન પર્વ ભારતમાં ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. નવ દિવસો સુધી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ દિવસ માતાની શક્તિ, શાંતિ અને આરોગ્યની ઉપાસના માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.   માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું માથા પર અર્ધચંદ્ર જેવી ઘંટી હોય છે તેથી તેમનું…