ભારતે ચીની મિસાઇલ તોડી પાડી, પાકિસ્તાન આપણી ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં નિષ્ફળ ગયું: IAF
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે સેના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. વાયુસેનાએ કહ્યું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા અમે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી અમને જવાબ આપવાની ફરજ પડી. પાકિસ્તાન તરફથી ચીની મિસાઇલોથી અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તે અમારી હવાઈ ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં નિષ્ફળ ગયા. આપણી ડિફેન્સ સિસ્ટમે રસ્તામાં જ આ મિસાઇલોનો નાશ કર્યો. વાયુસેના વતી મીડિયાને સંબોધતા એર માર્શલ ભારતીએ કહ્યું, “અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર માત્ર તેમને ખતમ કરવા માટે સચોટ હુમલા કર્યા હતા, પરંતુ પાકિસ્તાની સેનાએ તે પોતાના પર લઈ લીધું. અમારો ઉદ્દેશ્ય પાકિસ્તાની સેના સાથે યુદ્ધ કરવાનો કે તેમના ઠેકાણાઓને નિશાન બનાવવાનો નહોતો. આ વાત અમે અગાઉ પણ સ્પષ્ટ…
પાકિસ્તાને કર્યો જમ્મુ એરપોર્ટ પર હુમલાનો પ્રયાસ, ભારતની S-400 એ 8 મિસાઇલો તોડી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ અને પઠાણકોટ સહિત અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો કર્યો. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ મિસાઇલોને હવામાં જ તોડી પાડી. પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, શાહપુર, માધોપુર, ફિરોઝપુર, જેસલમેરમાં મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે. હુમલો થતાં જ જમ્મુ સહિત તમામ વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા, સમગ્ર વિસ્તાર તાત્કાલિક બ્લેકઆઉટ કરવામાં આવ્યો હુમલા બાદ, ભારતીય લડાકુ વિમાનોએ જમ્મુ એરપોર્ટ પરથી ઉડાન ભરી છે. જમ્મુ યુનિવર્સિટી નજીક બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. ડ્રોન વિરોધી પ્રણાલીઓએ આરએસ પુરા, અર્નિયા, સાંબામાં પાકિસ્તાની મિસાઇલોને પણ તોડી પાડી છે. આ ઉપરાંત ભારતે પઠાણકોટ એરબેઝ પર ડ્રોન હુમલાને પણ નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ શહેરમાં મોબાઇલ નેટવર્ક પણ કામ કરી રહ્યા નથી.…








