ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું
આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…
સોનમ વાંગચુકને વધુ સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં કરાયા શિફ્ટ, જાણો શું થયું
સોનમ વાંગચુકને દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે તેમને વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલની મેડિકલ ટીમને સોંપવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે તબીબોએ જણાવ્યું હતું કે તેમની હાલત હાલ સ્થિર છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે તેમની સતત દેખરેખ જરૂરી રહેશે. સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું મળતી માહિતી મુજબ, સોનમ વાંગચુકના શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું જોવા મળ્યું છે. આ ઉપરાંત લોહી સંબંધિત કેટલાક પરિમાણોમાં પણ અસંતુલન નોંધાયું છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાના કારણે તેમની તબિયત પર અસર પડી હતી. જેને કારણે તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. સોનમ વાંગચુક હતા ભૂખ…
અમદાવાદ : મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા યલો ફીવરની રસી માટે બે નવા સેન્ટર શરૂ
આફ્રિકા પ્રવાસે જવા ઇચ્છુક નાગરિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા યલો ફીવરની રસીકરણ સુવિધા વિસ્તૃત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રસી માત્ર આરોગ્ય ભવન ખાતે ઉપલબ્ધ હતી, પરંતુ હવે શહેરના પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બે નવા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 9,900થી વધુ લોકોને અપાઈ રસી AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ યલો ફીવરની રસી ખાસ કરીને આફ્રિકા પ્રવાસે જતાં નાગરિકો માટે જરૂરી ગણાય છે, કારણ કે આ રોગનો પ્રકોપ મુખ્યત્વે આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ગયા વર્ષ દરમિયાન અંદાજે 9,900 જેટલા લોકોને યલો ફીવરની રસી આપવામાં આવી હતી. આ રસી એક જ ડોઝમાં લેવાય છે અને લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે. રસીની કિંમત કેટલી? યલો ફીવરની…
હેમા માલિનીએ ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ આપી: કહ્યું, ‘પ્રાર્થના કરો…’
ફેમસ એક્ટર ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેડિકલ ઓબ્જર્વેશન હેઠળ છે. તેમના હેલ્થ વિશે એક્ટ્રેસ અને પત્ની હેમા માલિનીએ ફેન્સને અપડેટ આપી છે. 10 નવેમ્બરના રોજ હેમાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સના પ્રાર્થના અને ચિંતાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને પુષ્ટિ આપી કે 89 વર્ષના “હી-મેન” હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. હેમા માલિનીએ ધર્મેન્દ્રના મૃત્યુની ચર્ચાઓને નકારી કાઢતા જણાવ્યું કે, એક્ટરને ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. હેમાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, જેના પર ફેન્સ અને સેલિબ્રિટીઓએ ખુશી વ્યક્ત કરી. ધર્મેન્દ્રની તબિયત હેમા માલિનીએ લખ્યું: “હું ધર્મજી પ્રત્યેની ચિંતાઓ બદલ બધાનો આભાર માનું છું. તેઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે, અને તેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.…
Rajkot: પરબધામના મહંતને આવ્યો હાર્ટએટેક, સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને આજે અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાત્કાલિક સારવાર માટે તેમને રાજકોટની જાણીતી સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી ગઈ છે. કમ્પ્લીટ હાર્ટ બ્લોકનું નિદાન સીનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, કરસનદાસ બાપુને Complete Heart Block થયું છે. વધુમાં જણાવાયું કે તેમનાં પલ્સ પણ ઘટી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. જોકે, સારવારમાં તત્કાળ પગલાં લેવામાં આવ્યા છે અને હાલ તેમની તબિયતમાં સુધારાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભક્તોમાં ચિંતાનું મોજું આ સમાચાર મળતા જ પરબધામ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં તેમના ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કરસનદાસ બાપુના આશીર્વાદ અને પ્રવચનોનો લાભ લેવા માટે હજારો ભક્તો…












