રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકનું મોત
રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. ધ્રોલ પંથકના આ બાળકની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર, બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી. ચાંદીપુરાનો લેબ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકનું મોત આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. લોહીના નમૂના સહિતના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, ચકાસણીના રિપોર્ટ આવે…
રાજ્યના આરોગ્ય વિભાગમાં 83 અધિકારીઓની બઢતી-બદલીના આદેશ, જાણો વિગત
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 83 અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવાયો છે અને આરોગ્ય વિભાગમાં કાર્યક્ષમતા વધારવાનું મુખ્ય ઉદ્દેશ છે. મુખ્ય ફેરફારો: મદદનીશ કમિશનર (ક્લાસ-1)ના 11 અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ બદલી કરાઇ. વર્ગ-2ના 34 ડ્રગ ઇન્સપેક્ટર અને વર્ગ-2 (મેટ્રિક લેવલ-8, ગ્રેડ પે)ના 28 ઔષધ નિરીક્ષકોની બદલી કરાઇ. વર્ગ-2ના 10 ડ્રગ ઇન્સપેક્ટરોને બઢતી આપી મદદનીશ કમિશનર (ક્લાસ-1) તરીકે નિયુક્તિ આપવામાં આવી. આ આદેશ હેઠળ અનેક સહાયક કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટર્સને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી આરોગ્ય વિભાગના કામગીરીમાં સુધારો લાવવામાં મદદ મળે. GAS કેડરના અધિકારીઓની ટ્રાન્સફર: ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 16 અધિકારીઓને વિવિધ વિભાગોમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ…
ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય: IAS ડૉ. રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત જાહેરનામા મુજબ 2009 બેચના IAS અધિકારી ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હાલની જવાબદારી સાથે વધારાનો હવાલો ડૉ. રતનકંવર ગઢવીચરણ હાલમાં આરોગ્ય કમિશનર (ગ્રામીણ) તેમજ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના મિશન ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, હવે તેઓ આરોગ્ય કમિશનર (શહેરી)ની જવાબદારી પણ સંભાળશે. આ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી 2003 બેચના IAS અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેની પોતાની ફરજો વિધિવત રીતે સંભાળી ન લે. રાજ્યપાલના નામે આદેશ જાહેર આ વહીવટી આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે સામાન્ય…
Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા
ગુજરાતમાં હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવી છે. ત્યારે પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરી દીધા છે. મોડી રાત્રે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા દરમિયાન પાટણ -ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સીલ કર્યુ છે. આ પણ વાચો :- Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત મળતી માહિતી મુજબ, પાટણમાં ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે શંકાસ્પદ બે ગોડાઉનમા દરોડા દરમિયાન પાટણ -ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સિલ કર્યુ છે. ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગે રેડ કરી…
ચીનનો ખતરનાક વાયરસ HMPVની ભારતમાં એન્ટ્રી..! HMPV વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો, જુઓ સમગ્ર માહિતી
B INDIA HMPV UPDATE : ચીની વાયરસ એચએમપીવીનો પહેલો કેસ ભારતમાં નોંધાયો છે. બેંગાલૂરૂમાં એક આઠ મહીનાનું બાળક સંક્રમીત થયું છે.વાયરસની જાણ થતા હોસ્પિટલનાં સ્ટાફે બાળકની સારસંભાળ તાત્કાલિક આરંભી દીધી છે.વાયરસની પુષ્ટિ થતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે..એચએમપીવી વાયરસ 2023માં, નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ચીનમાં જોવા મળ્યો હતો. 2025માં હવે ભારતમાં એન્ટ્રી થઇ છે. હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) એ એક એવો વાઇરસ છે જેનાં લક્ષણો સામાન્ય શરદીનાં લક્ષણો જેવાં જ હોય છે. –> ગુજરાતમાં પણ HMPV વાયરસનો નોંધાયો પ્રથમ કેસ:- HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો. માહિતી મુજબ 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં ખતરનાક વાયરસે એન્ટ્રી લીધી. જેથી રાજ્ય સરકાર…










