દિલ્હીમાં H1N1નો વધતો ખતરો: 2,300થી વધુ કેસ વચ્ચે CM રેખા ગુપ્તાની ઈમરજન્સી બેઠક
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ અને દિલ્હી સરકાર એલર્ટ મોડમાં આવી ગયા છે. દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 3,000 ઈન્ફ્લુએન્ઝાના કેસ નોંધાયા છે, જેમાંથી 2,308 કેસ H1N1ના હોવાનું આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે જણાવ્યું છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગ ઉપરાંત MCD, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકનો મુખ્ય હેતુ H1N1 અને મોસમી ઈન્ફ્લુએન્ઝાના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ, બેડ, દવાઓ, તબીબી સ્ટાફ અને દર્દીઓની સારવાર અંગેની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. સરકારનો દાવો- પરિસ્થિતિ નિયંત્રણમાં આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે. તેમના…
દેશભરમાં ખાનગી હોસ્પિટલોની ‘લૂંટ’? સરકારી કરતાં 8 ગણો મોંઘો ઈલાજ, દર્દીઓ પર વધતો આર્થિક બોજ
ભારતમાં આરોગ્યસેવા કેટલી પોસાય તેવી છે અને ખાનગી હોસ્પિટલોમાં સારવારના બિલમાં કેટલી પારદર્શિતા છે તે મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરના નેશનલ સેમ્પલ સર્વેના 80મા રાઉન્ડના આંકડા અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના અનુભવ અંગેના સર્વે સામે આવ્યા બાદ સારવારના વધતા ખર્ચ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. NSSના 80મા રાઉન્ડમાં જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન આરોગ્ય સંબંધિત ખર્ચ અને સારવાર અંગે દેશવ્યાપી માહિતી એકત્ર કરવામાં આવી હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલના ખર્ચમાં મોટો તફાવત રાષ્ટ્રીય સ્તરના આંકડા મુજબ હોસ્પિટલમાં દાખલ થવા માટે સરકારી અથવા જાહેર આરોગ્ય સંસ્થામાં દર્દીનો સરેરાશ ખિસ્સામાંથી થતો ખર્ચ આશરે રૂ. 6,631 રહ્યો હતો. તેની સામે ખાનગી હોસ્પિટલમાં આ જ ખર્ચ વધીને રૂ. 50,508 થયો છે. એટલે ખાનગી હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝેશનનો સરેરાશ ખર્ચ સરકારી…
રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકનું મોત
રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. ધ્રોલ પંથકના આ બાળકની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર, બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી. ચાંદીપુરાનો લેબ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકનું મોત આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. લોહીના નમૂના સહિતના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, ચકાસણીના રિપોર્ટ આવે…
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…
વિકસિત ગુજરાત 2026′ વિઝન સાથે રાજ્ય વિકાસની નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે
વિકસિત ગુજરાત 2026′ વિઝન સાથે રાજ્ય વિકાસની નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત વિકાસ, સુશાસન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. **’વિકસિત ગુજરાત 2026’**ના વિઝન સાથે રાજ્ય સરકાર ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ટેક્નોલોજી અને રોજગાર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઝડપી ગતિએ કામ કરી રહી છે. આ અભિગમનો મુખ્ય હેતુ રાજ્યને વધુ સમૃદ્ધ, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાતમાં એક્સપ્રેસ-વે, નવા હાઈવે, મેટ્રો, એરપોર્ટ, બંદરો અને સ્માર્ટ સિટી જેવા અનેક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો વિકાસ થયો છે. આ સાથે ઔદ્યોગિક રોકાણ, MSME સેક્ટરને પ્રોત્સાહન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રમાં આધુનિક શાળાઓ, ડિજિટલ ક્લાસરૂમ, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ…
💊 “દવાઓનો જવાબદાર ઉપયોગ જ સુરક્ષિત આરોગ્યની ચાવી.”
કફ સિરપના દુરુપયોગને રોકવા સરકારનો મોટો નિર્ણય, કેટલીક દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત કફ સિરપના વધતા દુરુપયોગને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કેટલીક ચોક્કસ પ્રકારની કફ સિરપ અને નિયંત્રિત દવાઓ માત્ર નોંધાયેલ તબીબના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ દવાઓના ગેરવપરાશને રોકવાનો અને લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તાજેતરના સમયમાં કેટલીક કફ સિરપનો નશા માટે દુરુપયોગ થતો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ખાસ કરીને યુવાઓમાં આવા દુરુપયોગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દવાઓના વેચાણ અને વિતરણ પર વધુ કડક દેખરેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા મુજબ ફાર્મસી સંચાલકોને પ્રિસ્ક્રિપ્શન વિના નિર્ધારિત દવાઓનું વેચાણ ન કરવાની સૂચના આપવામાં આવશે. સાથે જ દવાઓના વેચાણનો…
વિરાટનગરમાં રૂ. 10.91 કરોડે 30 બેડનું અદ્યતન CHC શરૂ
– રખિયાલ, ઓઢવ અને નિકોલ સહિત આસપાસના હજારો નાગરિકોને નજીકમાં મફત સારવાર સુવિધા પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પૂર્વ ઝોનના નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા વિરાટનગર વોર્ડમાં અંદાજે રૂ. 10.91 કરોડના ખર્ચે 30 બેડ ક્ષમતાવાળું અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર શરૂ થતા વિરાટનગર ઉપરાંત રખિયાલ, ઓઢવ અને નિકોલ વિસ્તારના હજારો નાગરિકોને સીધો લાભ મળશે. બે માળના આ આરોગ્ય કેન્દ્રમાં ઈમર્જન્સી રૂમ, એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી તેમજ આંખ, હાડકાં અને કાન-નાક-ગળા વિભાગની ઓપીડી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રથમ માળ પર પ્રસૂતિ સેવાઓ, પ્રસૂતા વોર્ડ, પીડિયાટ્રિક ઓપીડી અને ડેન્ટલ સારવારની વ્યવસ્થા છે, જ્યારે બીજા માળે ત્રણ આધુનિક ઓપરેશન થિયેટર તથા ડાયાલિસિસ રૂમ ઉભા કરાયા છે. મ્યુનિસિપલ તંત્રના…
ભારત ઝડપથી વૃદ્ધ થઈ રહ્યું છે!, 2036 સુધીમાં દરેક 7માંથી 1 ભારતીય હશે વરિષ્ઠ નાગરિક
ભારતની વસ્તી ઝડપથી વૃદ્ધ બની રહી છે, જે દેશ માટે મોટી આર્થિક અને સામાજિક પડકારો ઊભા કરી રહી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યુ કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી 2011માં 101.6 મિલિયન (8.4%) હતી, જે 2036 સુધીમાં વધીને 227.4 મિલિયન (14.9%) થઈ જશે. આનો અર્થ એ છે કે 2036 સુધીમાં દર 7માં 1 ભારતીય વરિષ્ઠ નાગરિક હશે. આ વૃદ્ધિને કારણે દેશની સરેરાશ ઉંમર 2021માં 24 વર્ષથી વધીને 2024માં 28-29 વર્ષ થવાનો અંદાજ છે. સામાજિક પડકારો અને સંભાળનો વિરોધાભાસ: વૃદ્ધોની વધતી સંખ્યા આરોગ્યસંભાળ, સામાજિક સુરક્ષા, આર્થિક સ્વતંત્રતા અને ડિજિટલ સેવાઓ પર અસર કરશે. નાના પરિવારોના વધારા સાથે, વૃદ્ધોની સંભાળની જવાબદારી થોડા લોકો પર આવી રહી છે, જેને “વિરોધાભાસ” તરીકે વર્ણવવામાં આવ્યું છે, કારણ…
દૂધથી લઈને મશરૂમ સુધી, Vitamin B12 વધારવાના 7 અસરકારક ઉપાય
વિટામિન B12 (કોબાલામિન) શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે. તે રક્તમાં લોહીની સપ્લાય જાળવવામાં, નસો (નર્વ્સ)ને મજબૂત બનાવવામાં અને મગજના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. Vitamin B12 ની ઉણપના લક્ષણો – સતત થાક અને નબળાઈ અનુભવવી – ચહેરા અને આંખોમાં પીળાશ દેખાવું – નખ ખરબચડા અને સફેદ પટ્ટાવાળા થવા – વાળ ખરવા લાગવા -પગમાં દુખાવો અથવા ઝણઝણાટ અનુભવવો Vitamin B12ના કુદરતી સ્ત્રોત (Natural Sources): પ્રાણીઝ સ્ત્રોત (Non-Vegetarian Sources): – ઈંડા (ખાસ કરીને પીળો ભાગ) – દૂધ અને દૂધજન્ય વસ્તુઓ (દહીં, પનીર, ચીઝ) – માછલી (સાલ્મન, ટ્યુના, સાર્ડિન) – ચિકન અને લિવર શાકાહારીઓ માટે વિકલ્પો (Vegetarian Sources): – સોયા મિલ્ક અને સોયા પ્રોડક્ટ્સ – ફોર્ટિફાઈડ અનાજ (Vitamin B12 ઉમેરેલા સીરિયલ્સ) – મશરૂમ – પાલક, બ્રોકોલી, કાલે…















