Morbi : હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો, સર્ચ ઓપરેશન શરૂ
રમેશ ઠાકોર, મોરબી/ હળવદ તાલુકાના કોઈબા ગામના પાટીયાથી આગળ આવેલી નર્મદા કેનાલમાં અદાણી પાવર લાઈનના કામમાં સંકળાયેલા એક યુવાન કામદાર ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, પોલીસ તથા બચાવ ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અદાણી પાવર લાઈનના કામ માટે આવેલા કામદારો રહેતા રૂમ પર ટોયલેટની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે યુવાન પાણી ભરવા માટે નર્મદા કેનાલમાં ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસતા અથવા કેનાલના તેજ પ્રવાહમાં ફસાતા તે પાણીમાં ડૂબી ગયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. યુવક પરપ્રાંતીય હોવાની વિગત આવી સામે ડૂબી ગયેલો યુવાન બિહાર રાજ્યનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્રની ટીમ…
Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન
હળવદમાં ચારણબાઈ પર સ્વામીએ બફાટ કર્યાનું સામે આવ્યું છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રાદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે હળવદમાં સ્વામીના બફાટનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સ્વામીના બફાટનો વિડિયો બે દિવસ પહેલાનો જ હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણમાં હરિકૃષ્ણ ધામના સ્વામી ભક્તિ હરી સ્વામીએ ચારણબાઇ પર બફાટ કર્યો હતો. જેના કારણે આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામી અન્ય કોઇ વ્યક્તિને થયેલ રોગ વિશે વાત કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિને રોગ થતા તેમના સસરાએ ચારણબાઇ પાસેથી મંત્ર લખેલો…








