Gujaratના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસને વેગ: 10 મહત્વના પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી Strategic Growth
Gujaratના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસને વેગ: 10 મહત્વના પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી, કરોડોના વિકાસ કામો થશે ગાંધીનગર: Gujaratના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને વધુ વિકસિત કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા 10 મહત્વના ધાર્મિક, ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોના વિકાસ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કાર્યોનો મુખ્ય હેતુ યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે આધુનિક પાયાની સુવિધાઓ ઊભી કરવી, ધાર્મિક સ્થળોના પરિસરને સુવ્યવસ્થિત બનાવવું, ઐતિહાસિક સ્થળોનું સંરક્ષણ કરવું તેમજGujaratના પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો છે. વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ મંદિર…






