મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં AIMIMનો દબદબો, માલેગાંવમાં ઓવૈસી બન્યા કિંગમેકર

મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધને બહુમતી મેળવી છે, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ પરંપરાગત પક્ષોની રમત બગાડી નાખી છે. કોંગ્રેસ અને NCP જેવા પક્ષોને AIMIMના કારણે મોટો ફટકો પડ્યો છે. રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 2,869 બેઠકોમાંથી AIMIM 75 બેઠકો પર જીત મેળવી ચૂકી છે અથવા આગળ છે. મુંબઈની BMCમાં માત્ર ત્રણ બેઠકો જીતવા છતાં, ઔરંગાબાદ અને માલેગાંવ જેવા વિસ્તારોમાં AIMIMનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું છે. મુંબઈમાં ત્રણ બેઠકો છતાં અસરકારક હાજરી મુંબઈમાં મુસ્લિમ મતદારોનો હિસ્સો 20 ટકા કરતાં વધુ છે. AIMIM એ તમામ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઉમેદવારો ઉતાર્યા હતા. પાર્ટીએ BMCમાં કુલ ત્રણ બેઠકો જીતી છે: – વોર્ડ 135: ઇર્શાદ ખાન – વોર્ડ 134: મહેજબીન અતિક અહેમદ –…

શું રેલવે ગેરરીતિનો અડ્ડો..?? | GUJARATI NEWS BULLETIN

ભારતીય રેલવે બન્યો ગેરરીતિનો અડ્ડો ભારતીય રેલ્વેમાં સુરક્ષાનો ભંગ માલગાડીમાંથી ખુલ્લેઆમ અનાજની ચોરી જાગૃત નાગરિકે ચોરીનો બનાવ્યો વિડિયો દારૂ અને માદક પદાર્થોની રેલવેમાં હેરાફેરીનો આક્ષેપ ZRUCCના પૂર્વ સભ્યનો તંત્રને લેટર બુટલેગરોની યાદી સાથે રેલ્વે પોલીસને જાણ કરાઈ સ્ટેશન પર ખુલ્લેઆમ દારૂ, અફીણ, ચરસની હેરાફેરીનો આક્ષેપ રેલવે પોલીસની હદમાં અનેક કાંડ છતાં તંત્રની નિષ્ક્રિયતા સુરક્ષા તંત્ર આંખ મીંચીને બેઠું છે કે અસમર્થ? Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

શિખર ધવને સોફી શાઈન સાથે સગાઈ કરી, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યા છે. ધવને પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સગાઈ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કરી છે. તેમની પોસ્ટ થતાની સાથે જ ચાહકો અને સેલિબ્રિટીઓ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થયો છે. શિખર ધવને ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરતાં લખ્યું, “સ્મિતથી લઈને સપના સુધી, અમે બધું જ સાથે શેર કર્યું છે. અમારી સગાઈ માટે મળેલા પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ બદલ અમે દિલથી આભારી છીએ. અમે હંમેશા માટે સાથે રહેવાનું પસંદ કર્યું છે.”— શિખર અને સોફી 2025માં જાહેર થયો હતો સંબંધ શિખર ધવન અને સોફી શાઈને 2025માં પોતાના સંબંધોને જાહેર કર્યા હતા. ત્યારબાદ બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા. હવે…

દિલ્હીમાં કડકડતી ઠંડીનો કહેર, તાપમાન 5.8°C સુધી પહોંચ્યું

દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. સફદરગંજ બેઝ સ્ટેશન પર 8 જાન્યુઆરીના રોજ સૌથી ઓછું તાપમાન 5.8°C નોંધાયું છે, જે 5 ડિસેમ્બર 2025 બાદનો સૌથી ઓછો રેકોર્ડ છે. બુધવારે નોંધાયેલ તાપમાન (8.6°C) કરતાં આશરે 3°C ની ઘટાડો નોંધાયો છે. વિશ્વસનીય મોસમ વિભાગ (IMD)ની માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં Delhi-NCR વિસ્તારમાં તાપમાનમાં 2-3°C નો ઘટાડો નોંધાયો છે, જે શહેરના જનજીવન પર અસર કરે છે. વિવિધ વિસ્તારોમાં ઠંડીનો માહોલ: – પાલમ વેધશાળા (દિલ્હી એરપોર્ટ): 4.8°C – જાફરપુર, અયાનગર, રિજ: 6°Cથી નીચે પ્રભાવ: – ઠંડી અને ધુમ્મસના કારણે શહેરી જિંદગી પર અસર પડી રહી છે. – લોકો સવાર-સાંજના સમય દરમિયાન વધુ ઠુંઠવાડા અનુભવશે. – વાહનચાલકોને ધુમ્મસને ધ્યાનમાં રાખીને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. આગામી દિવસોની હવામાન…

દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, ભૂતપૂર્વ મદરેસા શિક્ષક યાસીન અરાફાતની ધરપકડ

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયના કપડા કામદાર દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાના મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ હત્યાનો માસ્ટરમાઇન્ડ ભૂતપૂર્વ મદરેસા શિક્ષક યાસીન અરાફાત છે. આ ઘટનાએ દેશ અને વિદેશમાં લઘુમતી સમુદાય સામે વધતી હિંસા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. કોણ છે યાસીન અરાફાત? પકડાયેલ આરોપી યાસીન અરાફાત ભૂતપૂર્વ મદરેસા શિક્ષક હોવાનું પોલીસએ જણાવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે તેણે દીપુ ચંદ્ર દાસની હત્યાનું પૂર્વ આયોજન કર્યું હતું અને હિંસક ટોળાને ઉશ્કેરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દીપુ ચંદ્ર દાસ સાથે શું થયું? પોલીસ અનુસાર, ▪️ હત્યા તારીખ: 18 ડિસેમ્બર, 2025 ▪️ સ્થળ: મૈમનસિંહ જિલ્લો, બાંગ્લાદેશ 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસ એક કપડા ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપ છે કે:…

ગાંધીનગર જિલ્લામાં ટાઈફોઈડના વધતા કેસ વચ્ચે કોંગો ફિવરનો પ્રથમ કેસ નોંધાયો, જાણો વિગત

ગાંધીનગર જિલ્લામાં ટાઈફોઈડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તે વચ્ચે હવે કોંગો ફિવરનો પહેલો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. પિંડારડા ગામમાં કોંગો ફિવર પોઝિટિવ આવેલા દર્દીને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કોંગો ફિવરનો કેસ મળતા આરોગ્ય વિભાગ સક્રિય કોંગો ફિવરનો કેસ સામે આવતા જ જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ▪️ પિંડારડા ગામમાં આરોગ્ય વિભાગની બે ટીમો તૈનાત ▪️ ગામમાં સર્વેલન્સ કામગીરી, ફોગિંગ અને દવા છંટકાવ શરૂ ▪️ પશુપાલન વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યો, કારણ કે કોંગો ફિવર પ્રાણીઓ અને ટિક્સ જેવા જંતુઓ દ્વારા ફેલાય છે આ પગલાંનો હેતુ સંક્રમણને વધુ ફેલાતું અટકાવવાનો છે. ટાઈફોઈડ અને કોંગો ફિવરથી ડબલ એલર્ટ ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં…

TGBLના CEO પ્રતિક કનકિયાની ED દ્વારા ધરપકડ, 47.32 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મોટો ખુલાસો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ સામે મોટી કાર્યવાહી કરતાં ધ ગ્રીન બિલિયન્સ લિમિટેડ (TGBL)ના CEO પ્રતિક કનકિયાની ધરપકડ કરી છે. EDની મુંબઈ ઝોનલ ઓફિસે કરેલી તપાસમાં આરોપી સામે 47.32 કરોડ રૂપિયાના ગેરકાયદે નાણાંકીય વ્યવહારના આરોપો સામે આવ્યા છે. ધરપકડ બાદ પ્રતિક કનકિયાને વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 9 જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. ED હવે કેસ સાથે જોડાયેલા નાણાંની ટ્રેઇલ અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. જાહેર ક્ષેત્રની કંપની પાસેથી 50 કરોડની લોનમાં છેતરપિંડી EDના જણાવ્યા મુજબ, આરોપીઓએ ભારત સરકારની જાહેર ક્ષેત્રની કંપની BECIL (Broadcast Engineering Consultants India Limited) પાસેથી લગભગ 50 કરોડ રૂપિયાની લોન છેતરપિંડીથી મેળવી હતી. લોનની શરતોનું પાલન ન થતાં BECILને ભારે નાણાકીય નુકસાન…

અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી ભાજપ ઉપાધ્યક્ષનો પુત્ર થયો ગુમ, પોલીસ દ્વારા તપાસ શરૂ

ગુજરાતમાં વ્યાજખોરો ફરી સક્રિય થતાં લોકોમાં ભારે ચિંતાનું માહોલ છે. એ વચ્ચે અમરેલીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયા છે. પોલીસ તેમની શોધખોળ માટે કાર્યવાહી કરી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયા પ્રાપ્ત વિગતો અનુસાર, રવિ પાનસુરિયા પર વ્યાજખોરોના દબાણ અને ઉઘરાણીઓનો ગંભીર ત્રાસ હતો. રવિએ ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11.25 કરોડ રૂપિયાની વ્યાજ દેવામાં લીધી હતી. તેમણે અત્યાર સુધીમાં 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂપિયા આરટીજીએસ મારફત ચૂકવ્યા હતા, પરંતુ વ્યાજખોરોએ 2.97 કરોડના બાકી રકમ સામે 15 કરોડની ઉઘરાણીનો દબાણ કર્યું. CCTVમાં દ્રશ્યો અને વીડિયો વાયરલ 31મી ડિસેમ્બરની રાત્રે રવિ ઘરેથી નીકળ્યા હતા, અને…

નવા વર્ષમાં કેવો રહેશે કુદરતનો મિજાજ..! | GUJARATI NEWS BULLETIN

ભરશિયાળે ગુજરાત પર તોળાયું માવઠાનું સંકટ રાજ્યમાં છુટાછવાયા વરસાદની વકી કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પડી શકે છે માવઠું જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં માવઠાની શક્યતા ભારતીય હવામાન વિભાગની માવઠાની આગાહી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અરવલ્લીનાં વિવાદનું સત્ય શું ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સોલિસિટર જનરલે કહ્યું- ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે કોર્ટની ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરાઇ રહ્યુ છે – કોર્ટ અરવલ્લી કેસમાં SCએ પોતાના જ આદેશ પર રોક લગાવી 21 જાન્યુઆરી સુધી સમગ્ર અરવલ્લીમાં ખાણકામ બંધ રહેશે કોર્ટે રાજસ્થાન, ગુજરાત સહિત 4 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in