ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષ પણ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર રાજ્યના વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ધારાસભ્યોને પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક મળે છે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના રાજ્યપાલે કર્યું સત્રનું આહ્વાન ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે રાજ્યપાલ દ્વારા…

ગુજરાતમાં કુપોષણ મુદ્દે સરકારની કબૂલાત: 64.23% ગ્રાન્ટ વપરાઈ નહીં

ગુજરાતમાં બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ હોવા છતાં સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે કુપોષિત બાળકો માટે ફાળવવામાં આવેલી કુલ ગ્રાન્ટમાંથી 64.23 ટકા રકમ ખર્ચવામાં આવી નથી. ₹1550 કરોડ ફાળવ્યા, પરંતુ ₹995.90 કરોડ બાકી વિધાનસભામાં ધારાસભ્યના સવાલના લેખિત જવાબમાં સરકારે માહિતી આપી કે વર્ષ 2025-26 માટે કુપોષણ નિવારણ માટે કુલ ₹1550 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી માત્ર ₹554.42 કરોડનો જ વપરાશ થયો છે, જ્યારે ₹995.90 કરોડ જેટલી મોટી રકમ વપરાયા વિના જ રહી ગઈ છે. કુપોષણ મુદ્દે સરકાર પર પ્રશ્નચિહ્ન રાજ્યમાં કુપોષણ જેવી ગંભીર સમસ્યા હોવા છતાં ફાળવાયેલાં નાણાંનો પૂરતો ઉપયોગ ન થવો પ્રશાસન પર સવાલ ઊભા કરે છે. નિષ્ણાતોનું માનવું…

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 દિવસ ચાલશે, જાણો બેઠકોની વિગત

ગુજરાત વિધાનસભાનું પંદરમી વિધાનસભાનું આઠમું બજેટ સત્ર તા. 16 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સત્ર બોલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની વિગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રની અવધિ અને બેઠકો ગુજરાત વિધાનસભાનું આ બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 23 દિવસના કામકાજ દરમિયાન 26 બેઠકો યોજાશે. સત્રનું મુખ્ય કામકાજ સત્રના પ્રથમ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સાથે વર્ષ 2011-12, 2014-15, 2015-16 અને 2018-19 ના વધારાના ખર્ચના પત્રકો તેમજ 2025-26ના પૂરક અંદાજપત્રો રજૂ કરવામાં આવશે. ચર્ચા અને નાણાકીય કામકાજ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા…