સત્તાનો નહીં, સ્નેહનો સૂરજ: ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય વેળાએ વહીવટી તંત્ર હિબકે ચઢ્યું

સામાન્ય રીતે સરકારી કચેરીઓ એટલે ફાઈલોનો ગડગડાટ અને અધિકારીઓની ગંભીરતા, પરંતુ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય સમયે સમગ્ર વહીવટી તંત્ર અને નાગરિકોની આંખો છલકાઈ ઉઠી હતી. સત્તાની ખુરશીનો રુઆબ ત્યજીને લોકોની વચ્ચે ‘ભઈલુ’ અને ‘સંગાથી’ બનીને રહેનારા આ અધિકારીની વિદાય એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણ બની ગઈ હતી. સત્તા અને સંવેદનાનો અનોખો સંગમ મેહુલ કે. દવેએ તેમના કાર્યકાળ દરમિયાન સાબિત કરી દીધું કે જ્યારે સત્તા સંવેદના સાથે ભળે છે, ત્યારે વહીવટ માત્ર પ્રક્રિયા નથી રહેતો પણ એક ‘પરિવાર’ બની જાય છે. આંગણવાડીના ભૂલકાઓ માટે તેઓ ‘કલેક્ટર સાહેબ’ નહીં પણ વાર્તા કહેનારા ‘મોટા ભાઈ’ બનીને જમીન પર બેસી જતા. ખેડૂતોની વચ્ચે પલાઠી વાળીને બેસવું અને તેમની પીડા…

ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર

જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે ધોવાણ થયું છે, જેના કારણે હાલ પરિક્રમા માર્ગ અપ્રવેશ્ય બની ગયો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને આ બાબતે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ પરિક્રમા રૂટ પર ચાલવા કે વાહન લઇ જવા યોગ્ય પરિસ્થિતિ નથી, કારણ કે માર્ગો પર અતિશય કીચડ અને પાણી ભરાયા છે. કલેક્ટરનો મહત્વપૂર્ણ નિર્ણય કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું હતું કે,“યાત્રાળુઓની સુરક્ષા સર્વોપરી છે. હાલની પરિસ્થિતિ જોખમી હોવાથી પરિક્રમા રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી માર્ગો ફરીથી સુરક્ષિત ન બને, ત્યાં સુધી કોઈને પણ…