દુનિયામાં ટ્રેડ, ટેકનોલોજી અને રેયર અર્થ મિનરલ્સ હથિયાર બની રહ્યા છે: PM મોદી, India–EU FTA નું મહત્વ સમજાવ્યું

ભારત–યુરોપિયન યુનિયન (EU) બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા પરિસ્થિતિ પર ગંભીર સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે આજે વેપાર, ટેક્નોલોજી અને રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે. તેમ છતાં, વડાપ્રધાન મોદીએ કોઈ દેશનું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટ્રેડ અને ટેરિફ નીતિઓ માટે પરોક્ષ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ India–EU વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને “નવા યુગની શરૂઆત” ગણાવી અને જણાવ્યું કે આ કરાર માત્ર આર્થિક સહયોગ પૂરતો સીમિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય, સ્થિર અને ભવિષ્યમુખી સપ્લાય ચેઇનનું નિર્માણ કરવાનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે આંકડાઓ સાથે India–EU સંબંધોની ઊંડાઈ દર્શાવી. EU ના દેશોમાં ભારતીય રોકાણ આશરે 40 અબજ યુરો છે, જ્યારે 6,000 થી વધુ યુરોપિયન કંપનીઓ ભારતમાં કાર્યરત છે. આ સાથે, યુરોપમાં લગભગ 1,500 ભારતીય કંપનીઓ સક્રિય છે. છેલ્લા દસ વર્ષમાં India–EU વચ્ચે વેપાર 180 બિલિયન યુરો સુધી પહોંચ્યો છે. FTAના લાભોમાં શ્રમ-આધારિત ઉદ્યોગો, ટેક્સટાઇલ, રત્ન અને આભૂષણ, ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, કૃષિ અને मत્સ્યઉદ્યોગને યુરોપિયન બજારમાં વિસ્તૃત પ્રવેશ મળશે, જેનાથી ખેડૂતો અને માછીમારોની આવકમાં વધારો શક્ય છે. IT, એજ્યુકેશન, બિઝનેસ સર્વિસીસ અને ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રોમાં પણ નવી તકો ઊભી થશે. વડાપ્રધાન મોદીએ ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મુક્યો અને ગ્રીન હાઈડ્રોજન, સોલર એનર્જી, સર્ક્યુલર ઇકોનોમી, વોટર મેનેજમેન્ટ અને એગ્રીકલ્ચર ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન અને રોકાણ વધારવાની અપીલ કરી. તેમણે પૂછ્યું કે શું ભારત અને યુરોપ મળીને ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, સેમિકન્ડક્ટર ચિપ્સ જેવા ક્ષેત્રોમાં બાહ્ય નિર્ભરતા ઘટાડીને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવી શકે? PM મોદીએ આ કરારને વિશ્વ માટે મજબૂત સંદેશ તરીકે વર્ણવ્યું અને જણાવ્યું કે India–EU FTA બિઝનેસ, નોકરીઓ અને નવી વૃદ્ધિ માટે નવી તકો લાવશે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

પીએમ મોદી બે દિવસીય આંધ્ર અને ઓડિશાની મુલાકાતે, 2 લાખ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને ઓડિશાની બે દિવસીય મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને બંને રાજ્યો માટે વિકાસની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં પુડીમાડકામાં ગ્રીન હાઇડ્રોજન હબના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારત માટે આ એક મોટી પહેલ માનવામાં આવી રહી છે. ગ્રીન હાઇડ્રોજન હબમાં મોટું રોકાણ પુડીમાડકામાં નિર્માણ થનારા ગ્રીન હાઇડ્રોજન હબમાં અંદાજે 1.85 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ પ્રોજેક્ટ ભારતને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા ઉત્પાદન તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ રોજગારીના નવા અવસર ઊભા થવાની પણ અપેક્ષા છે. ઓડિશામાં પણ વિકાસ પર ભાર આંધ્રપ્રદેશની મુલાકાત બાદ પ્રધાનમંત્રી ઓડિશા જશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને સમીક્ષા કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને ઊર્જા ક્ષેત્રે નવા પ્રોજેક્ટ્સ દ્વારા પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ મળશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

નીતિન ગડકરીની ચેતવણી: દિલ્હીની હવા હલાહલ જેવી, પરિવહન ક્ષેત્ર જવાબદાર

દેશની રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ માત્ર સામાન્ય નાગરિકો માટે નહીં, પરંતુ સત્તાના શિખર પર બેઠેલા નેતાઓ માટે પણ ગંભીર ચિંતાનું કારણ બની રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં દિલ્હીની ઝેરી હવા અંગે પોતાની વેદના વ્યક્ત કરી છે. ગડકરીએ જણાવ્યું, “બે દિવસ દિલ્હી શહેરમાં રહેતાં મને ગળામાં ઈન્ફેક્શન થઈ ગયું. આખું શહેર આ પ્રદૂષણથી પીડાઈ રહ્યું છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ સ્થિતિ ખુબજ ચિંતાજનક છે અને સીધી અસર નાગરિકો અને હવા સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. પરિવહન ક્ષેત્રની જવાબદારી ગડકરીએ સ્વીકાર્યું કે દિલ્લીની કુલ પ્રદૂષણમાં 40% ફાળો પરિવહન ક્ષેત્રનો છે. તેમણે જણાવ્યું કે ઇંધણની આયાત ઘટાડવી, ગ્રીન એનર્જી તરફ વળવું, ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ જ દિલ્હીને આ ઝેરી હવામાંથી મુક્તિ અપાવી શકે છે. હાલની પ્રદૂષણ સ્થિતિ હાથ ધરાયેલ સર્વે અનુસાર સંસદ ભવન આસપાસ AQI 250, કનોટ પ્લેસમાં 210, અને ITO જેવા ટ્રાફિક ભરચક વિસ્તારોમાં 200 નોંધાયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે પવનની ગતિ હાલમાં 10 કિમી/કલાક હોવાથી પ્રદૂષણ થોડું ઓછું છે, પરંતુ પવન શાંત પડતા દિલ્હી ફરી “ગેસ ચેમ્બર” બની શકે છે. ગડકરીના નિવેદન પછી પરિવહન નીતિમાં મોટા ફેરફારો અને પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં લેવા શક્યતા વધુ વધી ગઈ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in