7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’

રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.…

ચક્રવાત મોન્થા : ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ, 7 જિલ્લાઓમાં સરકારી રજાઓ રદ

ચક્રવાત મોન્થાની અસરને લઈને ઓડિશા રાજ્યમાં ભારે વરસાદ અને પવન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સાવચેતીના પગલાં તરીકે સાત જિલ્લાઓમાં સરકારી રજાઓ રદ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તીવ્ર પવન સાથે ભારે વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને પહાડી જિલ્લાઓમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે. સરકારી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં બાલાસોર, ગંજમ, કોરાપુટ અને રાયગડા સહિતના જિલ્લાઓના કલેક્ટરોને તાત્કાલિક સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવા અને કટોકટી તૈયારી સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ સત્તાધિકારીઓને તેમના મુખ્યાલય પરત ફરવાની પણ સૂચના આપી છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF)ની ટીમો એલર્ટ પર છે, જ્યારે કટોકટી વિભાગે જનતા માટે સમર્પિત હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. બચાવ અને રાહત કામગીરી સરકાર પહેલેથી…