ગુજરાતથી મહાકુંભ જવા માગતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ, જાણો પ્રોસેસ…
B INDIA ગાંધીનગર : રાજ્ય સરકાર મહાકુંભ માટે વિશેષ બસ દોડાવી રહી છે. ગુજરાત સરકારે કુંભ મેળા માટે ખાસ ટુર પેકેજ જાહેર કર્યું છે, જે સાવ સસ્તુ છે. મહાકુંભ માટે એસટી વિભાગની એસી વોલ્વો બસ દોડાવશે. આવવા-જવાની વ્યવસ્થા સાથે ટૂર પેકેજ તૈયાર કરાયું છે. આ વોલ્વો માટેનું બુકિંગ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. જેના માટે GSRTC વોલ્વોનું બુકિંગ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 જાન્યુઆરીએ પહેલી એસી વોલ્વો બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવશે. –> બુકિંગ કઈ રીતે કરશો? * www.gsrtc.in સાઈટ ઓપન કર્યા બાદ Mahakumbh 2025 ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કર્યા બાદ select routes આવશે. * અમદાવાદ રાણીપ-પ્રયાગરાજ-અમદાવાદ રાણીપ સિલેક્ટ કરવાનું રહેશે. * select bording point પર ક્લિક કરવાનું રહેશે.…







