સુરતમાં ગજેરા બંધુઓ સામે કરોડોનું કૌભાંડ, ફોર્જરી અને જાનથી મારવાની ધમકીના કેસમાં 8 સામે ગુનો નોંધાયો
સુરત શહેરના રિયલ એસ્ટેટ અને કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત ઇકો સેલ (Eco Cell) પોલીસએ જાણીતા ગજેરા બંધુઓ સહિત કુલ 8 લોકો સામે રૂ.19,28,39,69,000 (આશરે 1928 કરોડ)થી વધુની મસમોટી ઉચાપત અને ફોર્જરી મામલે ગુનો નોંધ્યો છે. આ કેસ ‘શાંતિ રેસિડેન્સી’ પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિઓ સાથે જોડાયેલો છે. આરોપીઓ સામે ફરિયાદ પોલીસ અનુસાર, આરોપીઓએ સત્તા અને પદનો દુરુપયોગ કરીને ગંભીર ગુનાઓ આચર્યા છે: – ડાયરેક્ટર પદેથી કાઢી મૂકવા માટે ખોટા અને બોગસ રાજીનામા તૈયાર કરાયા – દસ્તાવેજોમાં મૂળ વ્યક્તિની જાણ વિના ખોટી સહીઓ કરી કરોડોનું કૌભાંડ – ભોગ બનનારને ધમકી આપવામાં આવી કે પોલીસ ફરિયાદ કરશો તો પરિવાર સહિત જાનથી મારી નાખવામાં આવશે મુખ્ય આરોપીઓ – ચુનીભાઈ હરીભાઈ ગજેરા – વસંત હરીભાઈ ગજેરા – અશોકભાઈ…







