રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર નીતિન ગડકરીના કાર્યાલયનો ખુલાસો, કહ્યું- નિવેદનનો રાજકારણ સાથે….
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના તાજેતરના એક નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં શરૂ થયેલી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નાગપુરના એક કાર્યક્રમમાં ગડકરીએ નવી પેઢીને વધુ જવાબદારી સોંપવાની વાત કરી હતી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે શું ગડકરી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપી રહ્યા છે? જોકે, હવે તેમના કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે ગડકરીનું નિવેદન રાજકારણ અંગે નહોતું, પરંતુ લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટના કામકાજ અને ભવિષ્યના નેતૃત્વ અંગે હતું. ‘નવી પેઢીને તક આપવી જોઈએ’ નિવેદનથી મચી હતી હલચલ નાગપુરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સતત કામ કરી રહ્યા છે અને હવે પહેલાં જેટલું કામ કરી શકતા નથી. તેમણે નવી પેઢીને વધુ…
ગડકરી અને સિંધિયા સહિતના નેતાઓને નોટિસ મોકલી શકે છે ભાજપ , વન નેશન.બિલની રજુઆત સમયે હતા ગેરહાજર
ભારતીય જનતા પાર્ટી તેના કેટલાક સાંસદોને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. આમાં કેટલાક મોટા નામો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ તેના લોકસભાના સભ્યોને નોટિસ મોકલશે જે મંગળવારે ‘વન નેશન વન ઇલેક્શન’બિલની રજૂઆત દરમિયાન ગૃહમાં હાજર ન હતા. આ મોટા નેતાઓમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગિરિરાજ સિંહ જેવા નામો પણ સામેલ છે.સૂત્રોએ જણાવ્યું હતું કે આ સાંસદોને ભાજપ દ્વારા તેના લોકસભા સભ્યોને પહેલાથી જ જારી કરાયેલ ત્રણ લાઇનના વ્હીપનો અનાદર કરવા બદલ નોટિસ મોકલવામાં આવશે. આ વ્હીપમાં પક્ષના તમામ સાંસદોને લોકસભામાં બિલની રજૂઆત વખતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. -> ગેરહાજરીનું કારણ સ્પષ્ટ નથી :- હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જેઓ હાજર ન હતા તેઓએ પૂર્વ-આયોજિત કાર્યક્રમના કારણે…








