દુનિયામાં ટ્રેડ, ટેકનોલોજી અને રેયર અર્થ મિનરલ્સ હથિયાર બની રહ્યા છે: PM મોદી, India–EU FTA નું મહત્વ સમજાવ્યું

ભારત–યુરોપિયન યુનિયન (EU) બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા પરિસ્થિતિ પર ગંભીર સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે આજે વેપાર, ટેક્નોલોજી અને રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે. તેમ છતાં, વડાપ્રધાન મોદીએ કોઈ દેશનું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટ્રેડ અને ટેરિફ નીતિઓ માટે પરોક્ષ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ India–EU વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને “નવા યુગની શરૂઆત” ગણાવી અને જણાવ્યું કે આ કરાર માત્ર આર્થિક સહયોગ પૂરતો સીમિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય, સ્થિર અને ભવિષ્યમુખી સપ્લાય ચેઇનનું નિર્માણ કરવાનું મહત્વપૂર્ણ પગલું છે. તેમણે આંકડાઓ સાથે India–EU સંબંધોની ઊંડાઈ દર્શાવી. EU ના દેશોમાં ભારતીય રોકાણ આશરે 40 અબજ યુરો છે, જ્યારે…

ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ ડીલને લઇ અમેરિકા આક્રમક, ટ્રમ્પના નાણામંત્રીએ યુરોપને ‘ધોખેબાજ’ ગણાવ્યા

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતા જ અંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ સર્જાઇ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી અમેરિકી સરકારના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે યુરોપિયન દેશો પર અગ્રેસિવ ટિપ્પણીઓ કરતાં આક્રોશ વ્યક્ત કર્યો. અમેરિકી નાણામંત્રીની ચિંતા: સ્કૉટ બેસેન્ટે જણાવ્યું કે, “અમારે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર 25% થી લઈને 50% સુધી ટેરિફ લગાવ્યા, પરંતુ યુરોપિયન દેશો તેની સામે ઊભા રહેવાને બદલે ભારત સાથે વ્યાપારિક સોદાઓ કરી રહ્યા છે.” તેમણે યુરોપીયન દેશો પર આરોપ લગાવ્યો કે તેઓ રશિયાના તેલ માધ્યમથી પરોક્ષ રીતે પોતાના જ વિરુદ્ધ યુદ્ધનું ફંડિંગ કરી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે યુએસ-ભારત વ્યાપાર વાટાઘાટો ધીમા રહી રહ્યા છે, જ્યારે યુરોપે બાજી મારી લીધી છે. ભારત-ઈયુ…

ભારત અને કેનેડા ફરીથી FTA માટે ટેબલ પર, વાટાઘાટોની રૂપરેખા પર કામ શરૂ

ભારત અને કેનેડા વચ્ચે આર્થિક સંબંધો ફરી સક્રિયતા પામવા જઈ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને દેશો હાલ મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેના Terms of Reference (ToR) નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. ToR એ તે પ્રક્રિયા છે જેના દ્વારા આગળની વાટાઘાટો માટે રૂપરેખા, પ્રાથમિકતાઓ અને વ્યાપાર ક્ષેત્ર નક્કી થાય છે. આ નિર્ણય એ દર્શાવે છે કે રાજકીય મતભેદો હોવા છતાં, ભારત અને કેનેડા આર્થિક સહયોગ વધારવા માટે ઉત્સુક છે. અગાઉ 2023માં આ FTA વાટાઘાટો રોકાઈ ગયા હતા, પરંતુ હવે બંને દેશો ફરીથી આને આગળ વધારવા તૈયાર છે. વિશ્વ અર્થવ્યવસ્થામાં વેપાર અને રોકાણ વધારવા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે. વાટાઘાટો સફળ થયા, તો વેપારીઓ અને રોકાણકારો માટે નવી તકો અને…