‘100% શુદ્ધ’ના દાવા પર FSSAIની કડક કાર્યવાહી, 6 ફૂડ કંપનીઓએ બદલ્યા લેબલ
બજારમાં કોઈ પણ ખાદ્ય પ્રોડક્ટ ખરીદતી વખતે તેના પેકેટ પર લખાયેલા દાવાઓ ગ્રાહકોના નિર્ણયને સીધી અસર કરે છે. ખાસ કરીને ‘100% શુદ્ધ’, ‘100% નેચરલ’, ‘100% અસલી’ અથવા ‘100% ક્લીન’ જેવા શબ્દો ગ્રાહકોમાં પ્રોડક્ટને સંપૂર્ણ ગુણવત્તાવાળી હોવાની છાપ ઊભી કરે છે. જોકે, હવે આવા દાવાઓને લઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)એ કડક વલણ અપનાવ્યું છે. FSSAIની કાર્યવાહી બાદ દેશની છ ફૂડ કંપનીઓએ પોતાના પેકેજિંગ, વેબસાઇટ અથવા માર્કેટિંગ મટિરિયલમાંથી ‘100%’ જેવા દાવા દૂર કર્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોને ભ્રામક દાવાઓથી બચાવવાનો અને ખાદ્ય ઉત્પાદનો અંગે પારદર્શિતા જાળવવાનો છે. ‘100%’ શબ્દ સામે FSSAI કેમ સખત? FSSAIના મતે ખાદ્ય ઉત્પાદનોના લેબલ અને જાહેરાતોમાં કરવામાં આવતા દાવા સચોટ, સ્પષ્ટ, અર્થપૂર્ણ અને બિનભ્રામક હોવા જોઈએ. ‘100%’ જેવા…






