ફિલ્મ ઘૂસખોર પંડિત વિવાદમાં,મનોજ બાજપેયીનું પ્રતિભાવ-જનભાવનાનું સન્માન જરૂરી
મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનોમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના શીર્ષક અને કથાવસ્તુને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. વધતા વિવાદ વચ્ચે અભિનેતા મનોજ બાજપેયીએ આ મુદ્દે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ બાજપેયીએ કહ્યું, “હું લોકોની લાગણીઓને સમજી શકું છું. કોઈની આસ્થા કે વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ ક્યારેય રહ્યો નથી. આ ફિલ્મ કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ નથી, પરંતુ સમાજમાં વ્યાપેલી એક બુરાઈ પર આધારિત કહાણી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે કળાનો હેતુ સમાજની હકીકતો સામે લાવવાનો હોય છે, કોઈને નિશાન બનાવવાનો નહીં.અભિનેતાએ આગળ કહ્યું કે જો કોઈને ફિલ્મ સામે વાંધો હોય તો સંવાદ અને સમજદારીથી તેનો ઉકેલ લાવવામાં આવવો જોઈએ. બીજી…







