નેપાળમાં વિનાશક પૂરથી હાહાકાર: 157નાં મોત, 750થી વધુ લોકો લાપતા; બિહાર અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ

નેપાળના હિમાલયી વિસ્તારમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 157 લોકોના મોત થયા છે, જ્યારે 750થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલ છે. લાપતા લોકોમાં 133 ભારતીય નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. અનેક ગામો, રસ્તાઓ, પુલો અને વીજ પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ આપદાની અસર હવે ભારત સુધી પહોંચવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે બિહાર અને ઉત્તર પ્રદેશને હાઈ એલર્ટ પર રાખ્યા છે. ગંડક નદીના જળસ્તરમાં વધારો થતાં બિહારના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને NDRF સહિતની રાહત ટીમોને તૈયાર રાખવામાં આવી…

નેપાળમાં ભયાનક પૂરથી હાહાકાર: સેંકડો પ્રવાસીઓ લાપતા, ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર

નેપાળના તિબેટ સરહદ નજીક આવેલા રસુવા જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. ભોટે કોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું અને રસ્તા, પુલ, મકાનો તથા વીજળીના પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું છે. સૌથી ગંભીર અસર રસુવાના તિમુરે અને સ્યાફ્રુબેસી વિસ્તારોમાં જોવા મળી છે. નેપાળ ટુરિઝમ બોર્ડના પ્રાથમિક અહેવાલ મુજબ, પૂરની અસર બાદ 384 પ્રવાસીઓ અને મુસાફરોનો સંપર્ક થઈ રહ્યો નથી. તેમાં 291 વિદેશી નાગરિકો અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. વિદેશી નાગરિકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. હાલની યાદીમાં 105 ભારતીય પ્રવાસીઓ અને 37 NRIનો સમાવેશ થાય છે. જોકે, આ યાદી પ્રાથમિક છે અને અધિકારીઓ ટ્રાવેલ એજન્સીઓ, સ્થાનિક પ્રશાસન, સુરક્ષા દળો અને ટૂર ગાઇડ્સ પાસેથી માહિતી મેળવીને…

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

ઓડિશામાં પૂરનો કહેર: 20 જિલ્લામાં આફત, 1.89 લાખથી વધુ લોકોનું સ્થળાંતર

આસામ બાદ હવે ઓડિશામાં પણ પૂરનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. રાજ્યમાં મહાનદી અને તેની મુખ્ય શાખા નદી કાઠજોડીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો થતાં અનેક જિલ્લાઓમાં સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે. પૂરના કારણે 20 જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે 1.89 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ, ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. ઓડિશામાં મહાનદીમાં જળસ્તર વધતાં ચિંતા વધી ઓડિશામાં હાલ પૂરનું મુખ્ય કારણ મહાનદી અને તેની શાખા નદીઓમાં વધી રહેલો પાણીનો પ્રવાહ છે. મુંડલી અને નરાજ પાસે…