અમદાવાદ ઍરપોર્ટ હાઇ-ઍલર્ટ પર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા અપાઈ સૂચના

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ-ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી ઍરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં કડક વધારો કરવામાં આવશે. આ સંદર્ભે ઍરપોર્ટ સત્તાધીશો અને તમામ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે મહત્વપૂર્ણ એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે. વધારાની સુરક્ષા તપાસને કારણે સમય વધુ લાગી શકે છે, તેથી મુસાફરોને તેમની નિર્ધારિત ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા 3 કલાક અગાઉ ઍરપોર્ટ પર પહોંચવાની તાકીદ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ, ડબલ ચેકિંગ સુરક્ષા એજન્સીઓ દ્વારા મુસાફરોના સામાનનું ડબલ ચેકિંગ કરવામાં આવશે. એરલાઇન્સે સ્પષ્ટ સૂચના આપી છે કે, – મુસાફરો માત્ર 7 કિલો સુધીની એક જ હેન્ડબેગ લઈ જઈ શકશે – ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટ ઉપડવાના 60…