બેંકો ફક્ત ‘ડિજિટલ’ નહીં, ‘માનવીય’ પણ બને, નાણામંત્રીનો બેંકિંગ ક્ષેત્રને સંદેશ

મુંબઈમાં યોજાયેલા 12માં SBI બેંકિંગ અને અર્થશાસ્ત્ર કોન્ક્લેવ 2025 દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે બેંકરોને સંબોધતા જણાવ્યું કે બેંકો ગ્રાહક આધાર વધારવા માટે ફક્ત ટેક્નોલોજી પર નહિ પરંતુ માનવીય સંપર્ક પર પણ ધ્યાન આપે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, “બેંકિંગનો અર્થ ફક્ત ડિજિટલ જોડાણ નથી. વ્યક્તિ-થી-વ્યક્તિ સંપર્ક બેંકિંગની આત્મા છે. બેંકિંગ હંમેશા ગ્રાહક-કેન્દ્રિત અને સ્ટાફ-આધારિત ક્ષેત્ર રહ્યું છે.” તેમણે આગળ કહ્યું કે સ્થાનિક ભાષાનો ઉપયોગ ગ્રાહક જોડાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જાહેર ક્ષેત્રની બેંકોને સૂચના આપતાં તેમણે જણાવ્યું કે દરેક શાખામાંનો સ્ટાફ સ્થાનિક ભાષામાં ગ્રાહકો સાથે સંવાદ કરી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ. સીતારમણે એમએસએમઈ (MSME) ક્ષેત્ર માટે બેંકોને પોતાનું ક્રેડિટ રેટિંગ સિસ્ટમ વિકસાવવા સલાહ આપી અને આઉટસોર્સ્ડ રેટિંગ એજન્સીઓ પર…

જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ખાતાઓ માટે હવે મીનીમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી અને તેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળના ખાતાઓનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં 56.6 મિલિયનથી વધુ આ પ્રકારના ખાતા સક્રિય છે, જેમાં ₹2.67 ટ્રિલિયન જેટલો જમા રકમ છે. મુખ્ય સુવિધાઓ: – અનલિમિટેડ કેશ ડિપોઝીટ: ખાતાધારકોને કેશ જમા કરાવામાં કોઈ મર્યાદા નહીં. – ફ્રી ATM અને ડેબિટ કાર્ડ: બિલકુલ મફતમાં ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ આપવામાં આવશે. – 25 મફત ચેક પ્રત્યેક વર્ષે: વર્ષમાં 25 ચેક મફત આપવામાં આવશે. – ફ્રી પાસબુક અને…