અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: જાણો કોને કેટલી સહાય મળશે
જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન સંચાલકો તેમજ નાના-મોટા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ધંધાર્થીઓની દુકાનો, વેપારનું સાધન-સામાન અને રોજગારના માધ્યમોને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત વેપારીઓના પુનર્વસન અને ધંધાને ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ ‘આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ’ જાહેર કર્યું છે. બે પ્રકારની સહાયનો લાભ મળશે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ અસરગ્રસ્ત વેપારીઓને મુખ્યત્વે બે પ્રકારની રાહત આપવામાં આવશે. પ્રથમ, નુકસાનના પ્રકાર અને ધંધાના માળખા પ્રમાણે ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા પાત્ર વેપારીઓ માટે બીજી વ્યવસ્થા તરીકે બેંકની ટર્મ લોન…
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સિંગલ ક્લિક પેમેન્ટ’થી MSME અને ઉદ્યોગ વિભાગના લાભાર્થીઓને સીધા બેંક ખાતામાં સહાયની કરી ચૂકવણી
ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના ઉમદા હેતુથી આજે સાંજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આયોજિત આ “સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ”માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિંગલ ક્લિકથી કુલ 2048 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 461.04 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો વ્યાપક લાભ આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે MSME ક્ષેત્રની વિવિધ યોજનાઓ હેઠળ 1715 લાભાર્થીઓને રૂ. 80.96 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના મહત્વના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૨૦૨ લાભાર્થીઓને રૂ. 184.97 કરોડ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ (મોટા ઉદ્યોગો)ના 126 લાભાર્થીઓને રૂ. 188.77…
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારની મોટી રાહત, હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય; જાણો વિગત
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે તાજેતરમાં સૌથી મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂત માટે આશરે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ પિયત અને બિનપિયત પાકો બંનેને સમાન રીતે વળતર આપવામાં આવશે, અને દરેક હેક્ટર માટે 22,000 રૂપિયા, બે હેક્ટર સુધીની મર્યાદામાં, સહાય આપવામાં આવશે. ખેડૂત અને પાક માટેની વિગત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકા અને 16,500થી વધુ ગામોમાં સરવૈયા અને નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સર્વેમાં 5,100 ટીમો કાર્યરત રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તે સમયે ખેડૂતો માટે સૌથી વધુ અસરકારક અને ઝડપી સહાયની વ્યવસ્થા કરવી જરૂરી હતી, જેથી ખેડૂતો આ અનિયંત્રિત કુદરતી પરિસ્થિતિના સમયે નાણાકીય નુકસાનમાંથી બહાર આવી શકે.…









