8માં પગાર પંચમાં DA, HRA અને TA બંધ થશે? કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ બહાર આવ્યો
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ ગઈ છે. જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી હવે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરશે. સરકાર દ્વારા કમિશનને 18 મહિનાની અવધિ આપવામાં આવી છે અને માનવામાં આવે છે કે 2027ના મધ્ય સુધી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે. 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? હાલ રિપોર્ટ 2027માં આવશે, પરંતુ સરકારના નિયમો મુજબ પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે નવો પગાર પછી લાગશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી ગણાશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક લાભ પાછલા સમયથી મળશે. શું DA,…
ભારતનો વિકાસ રોકવો અશક્ય: GDP 7.5% વૃદ્ધિ સાથે અર્થતંત્ર પર ચાર ચાંદ લગશે, SBI રિપોર્ટમાં દાવો
ભારતનું અર્થતંત્ર આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 7.5 ટકા અથવા તેથી વધુ દરે વૃદ્ધિ પામશે, એવું SBI રિસર્ચના તાજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ વૃદ્ધિ મુખ્યત્વે સપ્ટેમ્બર અંતે GST દરમાં ઘટાડો અને તહેવારોની મોસમમાં વેચાણમાં વધારોના કારણે શક્ય બની રહી છે. અહેવાલ અનુસાર, રોકાણ પ્રવૃત્તિમાં વધારો, ગ્રામીણ વપરાશમાં સુધારો, અને સેવાઓ તેમજ ઉત્પાદન ક્ષેત્રોમાં ઝડપથી વૃદ્ધિ આ ઉંચી GDP વૃદ્ધિને ટેકો આપી રહી છે. GSTના માળખાકીય સુધારાઓએ પણ સ્થાનિક માંગને મજબૂત બનાવવામાં મદદ કરી છે. મુખ્ય આંકડા અને અનુમાન SBIના અહેવાલ મુજબ, બીજા ક્વાર્ટરના મુખ્ય અર્થશાસ્ત્રીય સૂચકાંકો 83% વધ્યા છે, જ્યારે પહેલા ક્વાર્ટરમાં આ દર 70% હતો. નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં વાસ્તવિક GDP વૃદ્ધિ સંબંધિત મોડેલ અનુસાર 7.5% હોવાની અપેક્ષા છે. ભારતીય રિઝર્વ બેંકે બીજા…
ભારતીય ચલણને ઝટકો: રૂપિયો 7 પૈસા ઘટ્યો, ડોલર સામે ₹88.63 પર બંધ!
ભારતીય ફોરેક્સ માર્કેટમાં આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે. ટ્રેડિંગના અંતિમ તબક્કે રૂપિયો યુએસ ડોલર સામે 7 પૈસા ઘટીને ₹88.63 પર બંધ થયો. અમેરિકન ડોલરની વૈશ્વિક મજબૂતાઈ અને વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતતા રૂપિયાને દબાણમાં લાવી છે. વિશ્લેષકો અનુસાર, ડોલર ઇન્ડેક્સ 99.61 ના સ્તરે પહોંચ્યો છે, જે યુએસ ડોલરની શક્તિ દર્શાવે છે. વૈશ્વિક બજારોમાં ડોલરની માંગમાં વધારો અને વિદેશી મૂડીની અવરજવર રૂપિયાની દિશાને અસર કરી રહ્યા છે. નાણાકીય નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં રૂપિયાના મૂલ્યમાં વધુ ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે, ખાસ કરીને જો અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફેરફાર થાય તો. ભારતીય શેરબજારમાં પણ રૂપિયાની આ નબળાઈનો મિશ્ર પ્રભાવ જોવા મળ્યો છે. નિકાસકારો માટે આ સ્થિતિ અનુકૂળ ગણાય છે, જ્યારે આયાતકારો માટે ખર્ચ વધી શકે છે. Follow us…











