ગુજરાત 2026-27નું બજેટ : કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરશે, જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે અને આ વખતે બજેટની આશંકિત રકમ આશરે 4 લાખ કરોડ રૂપિયા રહેશે. જો આ આંકડો સાચો સાબિત થાય તો ગુજરાતના ઈતિહાસમાં આ એક સૌથી મોટું બજેટ ગણાશે. ગત વર્ષે રાજ્યનું બજેટ 3.70 લાખ કરોડ હતું, એટલે કે આ વર્ષે બજેટમાં આશરે 12 થી 15 ટકા વધારો જોવા મળી શકે છે. નવા બજેટમાં માળખાગત વિકાસ, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વિશેષ ફાળવણી થવાની સંભાવના છે. રાજ્ય સરકાર ચાલુ યોજનાઓને મજબૂત બનાવવાની સાથે નવી યોજનાઓની પણ જાહેરાત કરશે. કનુભાઈ દેસાઈની સતત પાંચમી વખત બજેટ રજૂ કરવાનો અનુભવ અને સરકાર પરનો વિશ્વાસ…
બજેટમાં જામનગરને મળી મોટી ભેટ, આયુર્વેદિક મેડિકલ સેન્ટરનું એલાન; દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત નવમી વખત યુનિયન બજેટ રજૂ કર્યું, જેમાં વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં ખાસ કરીને ગુજરાતના જામનગર માટે કરવામાં આવેલી જાહેરાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જામનગર માટે ખાસ જાહેરાત બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી કે જામનગરમાં એક વિશાળ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે. આ સેન્ટર માત્ર સારવાર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આયુર્વેદિક સંશોધન, શિક્ષણ અને દવાઓના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરનું હબ બનશે. સરકારનું માનવું છે કે જામનગર પહેલેથી જ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે ઓળખાય છે, તેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ સાથે જ દેશમાં ત્રણ નવી આયુર્વેદિક AIIMS સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આયુર્વેદિક…








