ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોના બેંક ખાતામાં 6.97 કરોડ રૂપિયાની DBT સહાય આપવાનું કર્યું શરૂ

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે રૂ.2000ની સહાયનું ડી.બી.ટી.થી વિતરણ કર્યું હતું. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલા આ અંગેના સમારોહમાં મુખ્યમંત્રીએ કુલ રૂપિયા 6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં…

અમદાવાદમાં શરૂ થશે ‘પ્રાકૃતિક કૃષિ માર્કેટ’: ખેડૂતોને મળશે નવી આવક, શહેરીજનોને રસાયણમુક્ત પેદાશો

અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કૃષિ વિભાગ હસ્તકના આત્મા, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લામાં ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર રિસોર્સ પર્સન તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સતત ગહન પ્રયત્નોના ફળસ્વરૂપે, મિશન અને નોન-મિશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 8300 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે. પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધે અને વધુમાં વધુ ખેડૂતો આ મિશન હેઠળ જોડાઈને આર્થિક રીતે સમૃદ્ધ બને તથા જિલ્લાના શહેરીજનોને રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીની પેદાશો એક જ જગ્યાએથી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને પ્રગતિશીલ ખેડૂતો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત…

જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાની મુલાકતે

મહીસાગર જિલ્લામાં જળસંપત્તિ અને પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્યના જળસંપત્તિ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાનપુર અને કડાણા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચાલી રહેલી સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રીએ ખાનપુર–પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાની ખાસ મુલાકાત લીધી હતી. રૂ. 54 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજના 46 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ યોજનાના પૂર્ણ થવાથી 25 તળાવો ભરાશે તેમજ આશરે 800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત બામરોડા ગામે કારંટા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનામાં 43 લાખ લિટર ક્ષમતા ધરાવતો સંપ તથા આધુનિક…

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો સર્જાયો રેકોર્ડ, 20 વર્ષમાં 25 લાખ હેક્ટર વિસ્તારમાં અમલ

આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC)ના માધ્યમથી “સૂક્ષ્મ સિંચાઈ યોજના” અમલમાં મૂકી હતી. ખેડૂતો પાણીના મર્યાદિત ઉપયોગથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેઈન-ગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…

દિવાળીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર, ગુજરાત સરકારે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે દિવાળી પર મોટી રાહતના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમ્યાન થયેલી અતિવૃષ્ટિના કારણે થયેલા ખેડૂતોના નુકસાનને ધ્યાને લઇને રાજ્ય સરકારે રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. કયા જિલ્લાઓને મળશે લાભ? આ રાહત પેકેજ મુખ્યત્વે નીચેના 5 જિલ્લાઓના 18 તાલુકાઓ માટે લાગુ પડશે: – પંચમહાલ – કચ્છ – વાવ-થરાદ (બનાસકાંઠા) – પાટણ – જૂનાગઢ પાક પ્રમાણે સહાયની વિગતો: પાકનો પ્રકાર સહાય રકમ (પ્રતિ હેક્ટર) મહત્તમ મર્યાદા બિનપિયત પાક ₹12,000 2 હેક્ટર પિયત પાક ₹22,000 2 હેક્ટર બાગાયતી પાક ₹27,500 2 હેક્ટર જમીન સુધારણા (ખાસ: વાવ-થરાદ, પાટણ) ₹20,000 2 હેક્ટર પેકેજની રૂપીયાવારી વિભાજન: – ₹563 કરોડ – SDRF (State Disaster Response Fund) હેઠળ – ₹384…