T20 વર્લ્ડકપ પહેલાં રિંકૂ સિંહ પરિવારિક ઈમરજન્સી ઘરે પરત ફર્યો, જાણો શું છે કારણ

ભારતીય ટીમનો સ્ટાર બેટર રિંકૂ સિંહ પરિવારની ગંભીર સ્થિતિને કારણે ટીમ ઈન્ડિયાનો કેમ્પ છોડીને ઘર પરત ફર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, રિંકૂના પિતાની તબિયત અચાનક બગડી છે અને તેમને ગ્રેટર નોઈડાના સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિંકૂના પિતા હાલ વેંટિલેટર સપોર્ટ પર છે અને ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા, ઝિમ્બાબ્વે સામેની મેચમાં રિંકૂ સિંહ રમશે કે નહીં તે હજુ અનુમાન લગાવવામાં મુશ્કેલ છે. તેની જગ્યાએ અક્ષર પટેલને તક આપવામાં આવી શકે છે. પ્રેક્ટિસ સેશનમાં હાજરી ન રહી મંગળવારે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ સેશન યોજાઈ હતી, પરંતુ રિંકૂ એ તેમાં હાજરી આપી નહોતી. બાકીના તમામ ખેલાડીઓએ અભ્યાસ કર્યો હતો. આગળનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ…