પાકિસ્તાન : ઇસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ બાદ PM શાહબાઝ શરીફે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ

ઇસ્લામાબાદ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ, જેમાં 12 લોકોના મોત થયા હતા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે આ હુમલાઓ માટે “ભારત પ્રાયોજિત આતંકવાદી સંગઠનો”ને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું કે આ હુમલાઓનો હેતુ પાકિસ્તાનને અસ્થિર બનાવવાનો છે. પાકિસ્તાનની સરકારી સમાચાર એજન્સી APP (Associated Press of Pakistan) અનુસાર, શરીફે અફઘાન સરહદ નજીકના વાનામાં આવેલી કેડેટ કોલેજ પર થયેલા હુમલામાં પણ નવી દિલ્હીની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. APP એ તેમને ટાંકીને કહ્યું કે, “આ હુમલાઓ ભારત-પ્રાયોજિત આતંકવાદનો ભાગ છે.” વિશ્લેષકોનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાનનું આ નિવેદન દેશની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠનોને આશ્રય આપતું આવ્યું છે અને હવે…