ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં મોટી રાહત, જાણો વિગત

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત જાહેર કરી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્નપત્રો પૂર્ણ કરવા માટે સામાન્ય વિદ્યાર્થીઓની તુલનામાં વધારાનો સમય આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વધુ સુવિધા અને ન્યાય મળશે. નવા નિયમો મુજબ, 1 કલાકની પરીક્ષા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાના 20 મિનિટ મળશે. જ્યારે 3 કલાકના મુખ્ય પેપર માટે તેમને લગભગ 1 કલાકનો વધારાનો સમય આપવામાં આવશે. આ વ્યવસ્થાથી લખવામાં, વાંચવામાં અથવા સમજવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા પૂર્ણ કરવામાં મદદ મળશે. ખાસ કરીને દ્રષ્ટિહીન અથવા દ્રષ્ટિની ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નકશા પૂરાં કરવા કે આકૃતિ દોરવાના પ્રશ્નો…