પેપર લીક મામલે 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઉતરશે ઠાકરે બંધુઓ

મહારાષ્ટ્રમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થી આંદોલન વચ્ચે હવે રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. બંને નેતાઓએ જણાવ્યું છે કે આ મોરચો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના રોષને સરકાર સુધી પહોંચાડવા માટે યોજવામાં આવશે. મુંબઈમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ઠાકરે બંધુઓએ પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને સરકારને આ મુદ્દે જવાબદારી લેવી જોઈએ. ઠાકરે બંધુઓની સંયુક્ત જાહેરાત ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પોતાના અધિકારો માટે લડી રહ્યા છે અને સરકાર તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેતી નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી: અધ્યાપકની ગંભીર ભૂલથી BCA સેમેસ્ટર-5નું પાયથનનું પેપર રદ, જાણો વિગત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરે લેવાયેલું BCA સેમેસ્ટર-5નું 50 માર્કનું “પ્રોગ્રામિંગ ઇન પાયથન” થિયરી પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય આજે યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર દ્વારા જાહેર થયો. શા માટે રદ થયું પેપર? પરિપત્ર અનુસાર, 12 નવેમ્બરે લેવાયેલું પેપર જામનગરની H.J. દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષાના પેપર સાથે એકદમ સરખું નીકળ્યું હતું. આ કારણે પેપર સેટ કરતાં કોલેજના અધ્યાપક હિરલ પંડ્યાએ ગંભીર ભૂલ કરી હોવાનું બહાર આવ્યું. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા આ મુદ્દે 13 નવેમ્બરે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આક્ષેપ મૂકાયો હતો કે મુખ્ય યુનિવર્સિટી પરીક્ષામાં લેવાયેલું પેપર જામનગરની ઇન્ટર્નલ પરીક્ષાના પેપર જેટલું જ શબ્દપ્રમાણે એકસરખું હતું. આ આક્ષેપો સાચા સાબિત થતા યુનિવર્સિટીએ આખું પેપર રદ…