EPF વ્યાજ દર પર મોટું સરકારનું એલાન, 8.25% વ્યાજ દર જાળવશે સરકાર

Employees’ Provident Fund Organisation (EPFO) એ નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજ દર જાળવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, આ ત્રીજા વર્ષે પણ EPF ખાતાધારકોને એ જ વ્યાજ દરે ફાયદો થશે. EPFના 7 કરોડ ખાતાધારકોને સારા સમાચાર આ નિર્ણય EPF ખાતાધારકો માટે સારા સમાચાર છે, કેમ કે આ વર્ષે વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. EPF વ્યાજ કેવી રીતે મળે છે? EPF પર વ્યાજ દર મહિને ખાતામાં જમા થતી રકમ પર ગણવામાં આવે છે, પરંતુ આખા વર્ષનું વ્યાજ નાણાકીય વર્ષ પૂરું થતા એકસાથે જમા…