EPFOનો મોટો નિર્ણય: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે PFની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલયે અનિવાર્ય પ્રોવિડન્ટ ફંડ (PF) અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવતી પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી મળ્યા બાદ નવી વ્યવસ્થા અમલમાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી PFના દાયરાથી બહાર રહેલા હજારો નહીં પરંતુ લાખો ખાનગી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો સીધો લાભ મળશે. નિષ્ણાતોના મતે, આ પગલું સંગઠિત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે લાંબા ગાળે નાણાકીય સુરક્ષા મજબૂત બનાવશે. EPFOનો શું છે હાલનો નિયમ? હાલની વ્યવસ્થા મુજબ જે કર્મચારીઓનો…
EPF વ્યાજ દર પર મોટું સરકારનું એલાન, 8.25% વ્યાજ દર જાળવશે સરકાર
Employees’ Provident Fund Organisation (EPFO) એ નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજ દર જાળવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, આ ત્રીજા વર્ષે પણ EPF ખાતાધારકોને એ જ વ્યાજ દરે ફાયદો થશે. EPFના 7 કરોડ ખાતાધારકોને સારા સમાચાર આ નિર્ણય EPF ખાતાધારકો માટે સારા સમાચાર છે, કેમ કે આ વર્ષે વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. EPF વ્યાજ કેવી રીતે મળે છે? EPF પર વ્યાજ દર મહિને ખાતામાં જમા થતી રકમ પર ગણવામાં આવે છે, પરંતુ આખા વર્ષનું વ્યાજ નાણાકીય વર્ષ પૂરું થતા એકસાથે જમા…
EPFO ખાતાધારકોને મોટી રાહત: નિષ્ક્રિય ખાતાના રૂપિયા હવે આપમેળે બેંકમાં થશે ટ્રાન્સફર
નવી દિલ્હી: શ્રમ મંત્રાલયે EPFO સાથે જોડાયેલા લાખો ખાતાધારકો માટે મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે એવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા રૂપિયા, જેમાં ₹1,000 કે તેથી ઓછી રકમ છે, તે કોઈપણ કાગળકામ કે અરજી વિના સીધા જ ખાતાધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે આપમેળે (Automatic) થશે, એટલે ખાતાધારકને EPFO ઓફિસની મુલાકાત લેવાની કે અલગથી ક્લેમ ફાઇલ કરવાની જરૂર નહીં પડે. શું છે નિષ્ક્રિય ખાતું? EPFOના નિયમો મુજબ, જો કોઈ ખાતામાં સતત ત્રણ વર્ષ સુધી કોઈ યોગદાન, ટ્રાન્સફર અથવા ક્લેમ જેવી પ્રવૃત્તિ ન થાય તો તે ખાતાને “નિષ્ક્રિય” (Inactive Account) ગણવામાં આવે છે. હાલમાં દેશમાં કુલ અંદાજે 31 લાખથી વધુ નિષ્ક્રિય EPFO ખાતાઓ છે. આ તમામ ખાતાઓમાં મળીને આશરે ₹10,000 કરોડ જેટલી મોટી રકમ…
EPFOએ બદલ્યા આ બે નિયમો…. કર્મચારીઓના કામ થશે આસાન; જાણો વિગત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ખાતાના ટ્રાન્સફર માટેના નિયમો સરળ બનાવ્યા છે, જેના પછી કર્મચારીઓને પૈસા ઉપાડવામાં કે ખાતામાં ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને 1.25 કરોડથી વધુ સભ્યોને આનો લાભ મળવાની અપેક્ષા છે. PF કર્મચારીઓને ઘણીવાર એકાઉન્ટ ટ્રાન્સફર અંગે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. કોઈપણ નવી નોકરીમાં જોડાવા પર તેમને આ કામ કરવું પડતું હતું, પરંતુ હવે EPFO એ એક મોટા સુધારા હેઠળ ફોર્મ 13 સોફ્ટવેરની કાર્યક્ષમતામાં સુધારો કર્યો છે. EPFOએ મોટાભાગના ટ્રાન્સફર કેસોમાં નોકરીદાતાની મંજૂરીની જરૂરિયાત નાબૂદ કરી છે. આ નિયમ જાન્યુઆરી 2025 થી અમલમાં આવશે. કર્મચારીઓ નોકરી બદલે ત્યારે PF ટ્રાન્સફર ખૂબ સરળ બની ગયું છે. આ અપડેટ વધુ યુઝર્સ માટે PF ખાતાના સંચાલનને સરળ બનાવવાના વ્યાપક પ્રયાસનો એક…










