EPFOનો મોટો નિર્ણય: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે PFની પગાર મર્યાદા ₹15,000થી વધીને ₹25,000 થશે

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા કર્મચારીઓ માટે સરકાર મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નાણાં મંત્રાલયે અનિવાર્ય પ્રોવિડન્ટ ફંડ (PF) અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવતી પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી મળ્યા બાદ નવી વ્યવસ્થા અમલમાં આવશે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી PFના દાયરાથી બહાર રહેલા હજારો નહીં પરંતુ લાખો ખાનગી કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો સીધો લાભ મળશે. નિષ્ણાતોના મતે, આ પગલું સંગઠિત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે લાંબા ગાળે નાણાકીય સુરક્ષા મજબૂત બનાવશે. EPFOનો શું છે હાલનો નિયમ? હાલની વ્યવસ્થા મુજબ જે કર્મચારીઓનો…

EPF વ્યાજ દર પર મોટું સરકારનું એલાન, 8.25% વ્યાજ દર જાળવશે સરકાર

Employees’ Provident Fund Organisation (EPFO) એ નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજ દર જાળવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, આ ત્રીજા વર્ષે પણ EPF ખાતાધારકોને એ જ વ્યાજ દરે ફાયદો થશે. EPFના 7 કરોડ ખાતાધારકોને સારા સમાચાર આ નિર્ણય EPF ખાતાધારકો માટે સારા સમાચાર છે, કેમ કે આ વર્ષે વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. EPF વ્યાજ કેવી રીતે મળે છે? EPF પર વ્યાજ દર મહિને ખાતામાં જમા થતી રકમ પર ગણવામાં આવે છે, પરંતુ આખા વર્ષનું વ્યાજ નાણાકીય વર્ષ પૂરું થતા એકસાથે જમા…