8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર, કેટલા કર્મચારીનો કેટલો વધશે પગાર?

કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચની ભલામણોને મંજૂરી આપ્યા પછી ગ્રુપ A, B, C અને Dના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. પેન્શનરોના પેન્શનમાં પણ સુધારો કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોના અમલની રાહ જોઈ રહ્યા છે. નવું પગાર ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે, જે વર્તમાન બેસિક સેલેરીને ગુણાકાર કરીને નવી બેસિક સેલેરી નક્કી કરે છે. ફિટમેન્ટ ફેક્ટર શું છે? ફિટમેન્ટ એ એક ગુણાંક છે, જેના આધારે વર્તમાન પગારને ગણતરી કરીને નવી પગારરકમ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે 6ઠ્ઠા પગાર પંચમાં 7,440 રૂપિયા નાં પગાર વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો. 8મા પગાર પંચના અંદાજિત પગાર વધારો: ફિટમેન્ટ ફેક્ટર 2.15 પર: – લેવલ 1 (ગ્રુપ D): 18,000 → 38,700 રૂપિયા – લેવલ 10 (ગ્રુપ A): 56,100 → 1,20,615 રૂપિયા – લેવલ 18 (સીનિયર ગ્રુપ A): 2,50,000 → 5,37,000 રૂપિયા ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર: – લેવલ 1: 46,260 રૂપિયા – લેવલ 10: 1,44,177 રૂપિયા – લેવલ 18: 6,42,500 રૂપિયા પેરોલ સર્વિસ કંપની નેક્સડિગ્મના ડિરેક્ટર રામચંદ્રન કૃષ્ણમૂર્તિ અનુસાર, ફિટમેન્ટ ફેક્ટર 1.9 થી 2.5 સુધી હોઈ શકે છે અને તે તમામ કર્મચારીઓને સમાન રીતે લાગુ કરવામાં આવશે. આ પગાર સુધારા દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના જીવન સ્તર પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

8માં પગાર પંચમાં DA, HRA અને TA બંધ થશે? કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ બહાર આવ્યો

કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ ગઈ છે. જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી હવે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરશે. સરકાર દ્વારા કમિશનને 18 મહિનાની અવધિ આપવામાં આવી છે અને માનવામાં આવે છે કે 2027ના મધ્ય સુધી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે. 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? હાલ રિપોર્ટ 2027માં આવશે, પરંતુ સરકારના નિયમો મુજબ પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે નવો પગાર પછી લાગશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી ગણાશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક લાભ પાછલા સમયથી મળશે. શું DA, HRA અને TA હવે બંધ થઈ જશે? કર્મચારીઓમાં સૌથી મોટી ચિંતા એ છે કે શું 8મા પગાર પંચ બાદ DA (મોંઘવારી ભથ્થું), HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) અને TA (મુસાફરી ભથ્થું) બંધ થઈ શકે છે? સરકારે એવો કોઈ સંકેત આપ્યો નથી કે DA, HRA કે TA બંધ થશે. – પગાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, – ભથ્થાઓને બંધ કરવાની કોઈ યોજના નથી – 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી 7મા પગાર પંચના નિયમો જ યથાવત્ રહેશે – દર 6 મહિને DAમાં વધારો ચાલુ રહેશે – અર્થાત કર્મચારીઓના ભથ્થા પર કોઈ અસર થવાની શક્યતા નથી. આગામી 18 મહિનામાં DA કેટલો વધે શકે? પેરોલ નિષ્ણાત રામચંદ્રન કૃષ્ણમૂર્તિ (Nexdigm) અનુસાર, 8મા પગાર પંચનો રિપોર્ટ તૈયાર થવામાં ઓછામાં ઓછા 18 મહિના લાગશે. આ દરમિયાન દર 6 મહિને DAમાં વધારો થતો રહેશે. એક અંદાજ અનુસાર (વાસ્તવિક વધારો CPI પર આધારિત): – વર્તમાન DA = 58% – 6 મહિનાં પછી → 61% – 12 મહિનાં પછી → 64% – 18 મહિનાં પછી → 67% આ માત્ર ઉદાહરણ માટેના આંકડા છે. CPI મુજબ વધઘટ થઈ શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

હર્ષ સંઘવીએ આપી GSRTCના કર્મચારીઓને દિવાળી ભેટ, 10,000 રૂપિયાની તહેવાર પેશગી એડવાન્સ જાહેર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા GSRTCના 36,000થી વધુ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમના હસ્તકમાં પહેલા યોજાયેલી બેઠકમાં GSRTCના કર્મચારીઓને ₹10,000 સુધીની ‘તહેવાર પેશગી એડવાન્સ’ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાથી ફિક્સ પગાર ધરાવતી સીમિત સંખ્યાના કર્મચારીઓને ₹5,000 સુધીની પેશગી મળતી હતી, જે હવે બમણો વધારીને તમામ કર્મચારીઓ માટે લાવી દીધી છે. આ પગલાંથી GSRTCના કર્મચારીઓને તેમની મહેનત અને યોગદાને માન્યતા મળે તેવી આશા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીે જણાવ્યું કે, રાત દિવસ પરિશ્રમ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આ નિર્ણય લેવાયો છે જેથી તેઓને સહારો મળે. સ્વચ્છતા અને જળ બચાવ ઝુંબેશ 26મીથી 30મી ઓક્ટોબર સુધી રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસટી બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને જળ બચાવ માટે વિશેષ ડ્રાઈવ યોજાશે. આ ઝુંબેશ હેઠળ લીકેજ નળોની મરામત અને જળ સંરક્ષણ માટે કામગીરી કરવામાં આવશે. આ યોજના GSRTC કર્મચારીઓના હિતમાં એક સારો પગલાં માનવામાં આવી રહી છે અને આ સાથે પરિવહન વ્યવસ્થામાં સુધારો લાવવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?, પગાર કેટલો વધશે? વાંચો સંપૂર્ણ વિગતો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો સમાચાર સામે આવ્યો છે. 8મું પગાર પંચ (8th Pay Commission) બાબતે મહત્વપૂર્ણ અપડેટ મળ્યો છે. જો હાલની અટકળો સાચી સાબિત થાય છે, તો 2026થી નવા પગાર ધોરણો લાગુ થઈ શકે છે અને પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. નવો પગાર કેટલો થશે?, જાણો ગણતરી સાથે વિસ્તૃત જાણકારી અનુસાર, 8મા પગાર પંચમાં નવા ફિટમેન્ટ ફેક્ટર તરીકે 1.92 લાગુ થવાની શક્યતા છે. હાલમાં ન્યૂનતમ બેસિક પગાર છે ₹18,000, જે નવી ગણતરી પ્રમાણે એવું બની શકે છે: નવી બેસિક પે = ₹18,000 × 1.92 = ₹34,560 એટલે કે ફક્ત મૂળ પગારમાં ₹16,560નો સીધો ઉછાળો. આ ઉપરાંત, જ્યારે ડિઅરનેસ એલ્લોવન્સ (DA), હાઉસ રેન્ટ એલ્લોવન્સ (HRA), ટ્રાવેલ એલાવન્સ (TA) અને અન્ય ભથ્થાં ઉમેરાશે ત્યારે હાથમાં આવતો પગાર વધુ વધારે થશે. 7માં પે પંચના પે મેટ્રિક્સનો જ ઉપયોગ થશે ખાસ વાત એ છે કે 8મા પગાર પંચમાં પણ 7મા પગાર પંચમાં લાગુ થયેલું ‘પે મેટ્રિક્સ’ જ ચાલુ રહેશે. ફક્ત તેમાં કેટલાક સુધારાઓ, જેમ કે નવો ફિટમેન્ટ ફેક્ટર, પગાર લેવલ મર્જિંગ, વગેરે ઉમેરાશે. મૂલ આધાર: આ પે મેટ્રિક્સ ડૉ. વોલેસ એક્રોઇડ ફોર્મ્યુલા પર આધારિત છે, જે ભારતીય નાગરિકને જીવન નિર્વાહ માટે મળવાં પાત્ર ન્યૂનતમ પગારનો અંદાજ આપે છે. પગાર લેવલ મર્જિંગ સરકાર કેટલાક પગાર લેવલ મર્જ કરવાની યોજના બનાવી રહી છે: – Level 1 + 2 ➝ New Level A – Level 3 + 4 ➝ New Level B – Level 5 + 6 ➝ New Level C આવું થવાથી નીચેના સ્તરે કામ કરતા કર્મચારીઓના પગાર તાત્કાલિક વધી જશે અને પ્રમોશન માટેનો સમય ઓછો થશે. વીમા કવર પણ વધવાની શક્યતા હાલમાં સરકારી ફરજ દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારીઓના પરિવારો માટે વીમા કવર ઓછું હોય છે. 8મા પગાર પંચ હેઠળ આ વિમાકવરની રકમ પણ વધારવાનો વિચાર ચાલી રહ્યો છે, જેથી કર્મચારીઓના પરિવારોને વધુ સુરક્ષા મળી શકે. ક્યારથી લાગુ પડશે 8મું પગાર પંચ? હાલમાં 8મા પગાર પંચની ઔપચારિક રચના સરકાર દ્વારા કરવામાં આવી નથી, પરંતુ એવી શક્યતા છે કે: – 2025ના અંત સુધીમાં જાહેરાત (Notification) – 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા પગાર ધોરણો – કર્મચારીઓને બકાયા રકમ પણ આપવામાં આવશે.