કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું, રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી સ્વીકાર્યું
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ નિર્ણય ભારતીય બંધારણની કલમ 75(2) હેઠળ લેવામાં આવ્યો છે. રવનીત સિંહ બિટ્ટુ કેન્દ્રીય મંત્રીપરિષદમાં રેલવે રાજ્યમંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના રાજીનામા બાદ હવે કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળના ફેરફાર અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ રવનીત સિંહ બિટ્ટુનું કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી રાજીનામું સ્વીકારી લીધું છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. બંધારણની જોગવાઈઓ…
લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ આપ્યું અચાનક રાજીનામું
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ ગુરુવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમનો રાજીનામાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ નિર્ણય લદ્દાખમાં રાજકીય ગતિશીલતા વધારી રહ્યો છે, ખાસ કરીને તે સમયે જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ તાજેતરમાં રાજીનામું આપ્યું છે. જુલાઈ 2025માં કવિન્દ્ર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ બ્રિગેડિયર બીડી મિશ્રાની જગ્યાએ આવ્યા હતા, જ્યારે બીડી મિશ્રા પૂર્વમાં આરકે માથુરની જગ્યાએ લદ્દાખના ત્રીજા લેફ્ટનન્ટ ગવર્નર બન્યા હતા. પીશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે 3.5 વર્ષ સેવા બાદ રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ તેમણે જણાવ્યું, “મેં રાજભવનમાં પૂરતો સમય વિતાવ્યો છે.” પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે 2026માં ચૂંટણી યોજાવાની છે, જે આ રાજીનામાની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ છે. Follow us…
આગામી ચૂંટણીઓમાં કેટલાંયે સિટિંગ ઉમેદવારો કપાઈ જશે
15 વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, 27 ટકા OBC અનામત, રોટેશન અને 50 ટકા મહિલા અનામત સમગ્ર રાજ્યમાં એક તરફ મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોએ દોડધામ તેજ બનાવી દીધી છે, બીજી તરફ વસતિના પ્રમાણમાં ઉમેદવારોને તક મળશે કે કેમ એ બાબતે ભંભેખંભ ચાલી રહ્યું છે કારણ કે પાછલાં પંદર વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, ક્યા મતવિસ્તારમાં કઈ જ્ઞાતિના ખરેખર કેટલાં મત છે એ કોઈને ખબર નથી. વસતિ ગણતરી વર્ષોથી થઈ ન હોય, જેતે મતવિસ્તારની સાચી પરિસ્થિતિઓ શું છે, શું તેના સત્તાવાર આંકડાઓ કયાંય, કોઈ પાસે છે નહીં, આથી વિવિધ સમાજોને પૂરતું પ્રતિનિધિત્વ મળશે કે કેમ- એ ભગવાન જાણે. બીજી તરફ આ ચૂંટણીઓ દરમ્યાન 27 ટકા OBC અનામતનો અમલ કરવાનો હોય, જનરલ કેટેગરીના…
ચૂંટણી પહેલા આસામ કોંગ્રેસને મોટો ફટકો, આ દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું
આગામી થોડા મહિનામાં આસામમાં ચૂંટણીઓ યોજાવાની છે, અને તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યા બાદ રિપુન બોરાએ 2021 માં પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાજ્યસભાના સભ્ય પણ હતા. તરુણ ગોગોઈ સરકારના સતત બે કાર્યકાળ દરમિયાન તેમણે મંત્રી તરીકે સેવા આપી હતી અને 2001 માં તેઓ પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે લગભગ પાંચ વર્ષ સુધી આસામ કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી. તેમણે 2016 માં પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. તે જ વર્ષે, તેઓ રાજ્યસભામાં પણ ચૂંટાયા, તેમનો કાર્યકાળ 2022…











