NEET પેપર લીક મામલે મૌન કેમ રહ્યા? રાઘવ ચઢ્ઢા, કહ્યું- હવે માત્ર પ્રશ્ન નહીં પરંતુ….
NEET પેપર લીક મામલે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાનું મૌન તોડ્યું છે. એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે ઘણા લોકો તેમને સતત પૂછતા હતા કે તેઓ NEET પેપર લીક જેવા ગંભીર મુદ્દે કેમ બોલ્યા નહોતા. NEET મામલે રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પોતાના મૌન પાછળનું કારણ સમજાવતા કહ્યું કે અગાઉ જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે સરકારને પ્રશ્ન પૂછવાની જવાબદારી તેમની હતી, પરંતુ હવે તેઓ સત્તા પક્ષની ટ્રેઝરી બેન્ચનો ભાગ છે. તેથી તેમની ભૂમિકા માત્ર પ્રશ્નો ઉઠાવવાની નહીં પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં સહયોગ કરવાની છે. માત્ર નિવેદન નહીં, ઉકેલ સાથે વાત કરવા માંગતા હતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે NEET પેપર લીક જેવા મુદ્દે તેઓ માત્ર…
NEET પેપર લીક વિવાદ વચ્ચે કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં, કહ્યું- ‘વિદ્યાર્થીઓ રસ્તા પર આવે એ પહેલાં સિસ્ટમને સાંભળવું પડશે’
NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ IPS અધિકારી અને પુડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. જંતર-મંતરથી શરૂ થયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલન અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે કિરણ બેદીએ શાસન વ્યવસ્થા, શિક્ષણ સંસ્થાઓ અને જવાબદારીના મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. કિરણ બેદીએ કહ્યું કે જ્યારે કોઈ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ સામસામે આવી જાય છે ત્યારે તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી રહેતો, પરંતુ તે તંત્રની કાર્યપદ્ધતિ અને સંવાદ વ્યવસ્થાની ખામી દર્શાવે છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ આંદોલનની પાછળ રહેલા મૂળ કારણો સમજવા જરૂરી છે. મીડિયા નેરેટિવ નહીં, જવાબદારીનો મુદ્દો મહત્વનો કિરણ બેદીએ મીડિયા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અંગે પણ સવાલો…
પેપર લીક મામલે 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઉતરશે ઠાકરે બંધુઓ
મહારાષ્ટ્રમાં પેપર લીકના મુદ્દે વિદ્યાર્થી આંદોલન વચ્ચે હવે રાજકીય ગરમાવો વધી ગયો છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. બંને નેતાઓએ જણાવ્યું છે કે આ મોરચો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના રોષને સરકાર સુધી પહોંચાડવા માટે યોજવામાં આવશે. મુંબઈમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ઠાકરે બંધુઓએ પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને સરકારને આ મુદ્દે જવાબદારી લેવી જોઈએ. ઠાકરે બંધુઓની સંયુક્ત જાહેરાત ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પોતાના અધિકારો માટે લડી રહ્યા છે અને સરકાર તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેતી નથી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ…
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…










