બિહારમાં NEET પેપર લીક આંદોલન મામલે સરકાર દ્વારા કેસ પરત ખેંચવા સહિત 4 મહત્વના નિર્ણયો

બિહારમાં NEET-UG પેપર લીક મામલે થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 26 જુલાઈ 2026ના સાંજે 6:00 વાગ્યા સુધી પેપર લીક વિરોધી આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસો પરત ખેંચવામાં આવશે. સાથે જ ધરપકડ કરાયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સરકારના આ નિર્ણયને કારણે હજારો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. NEET પેપર લીક બાદ રાજ્યભરમાં થયો હતો ઉગ્ર વિરોધ NEET-UG પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના આરોપોને લઈને બિહારના અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવાની માંગ સાથે પ્રદર્શન કર્યા હતા. કેટલાક સ્થળોએ વિરોધ ઉગ્ર બનતા…

NEET પરીક્ષા મામલો: દિલજીત દોસાંઝે વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉઠાવ્યો અવાજ

દિલ્હીમાં NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ લાઠીચાર્જ બાદ હવે મનોરંજન જગતમાંથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જાણીતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા મારફતે વિદ્યાર્થીઓને ખુલ્લો ટેકો આપતાં સરકારને તેમની માંગણીઓ સાંભળવાની અપીલ કરી છે. NEET પરીક્ષા મામલે દિલજીત દોસાંઝે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે વિદ્યાર્થીઓ સાથે જે બન્યું તે યોગ્ય નથી અને તેમના અવાજને દબાવવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર લોકશાહી માટે યોગ્ય સંદેશ આપતો નથી. દિલજીતે સત્તાધીશોને અપીલ કરી કે તેઓ વિદ્યાર્થીઓની સમસ્યાઓનો સંવાદ દ્વારા ઉકેલ લાવે. NEET મામલે પોસ્ટમાં દિલજીતે અગાઉના ખેડૂત આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું…

NEET પેપર લીક મુદ્દે PM મોદીનો સંદેશ: ‘ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશે, દોષિતોને કડક સજા મળશે’

સંસદના મોનસૂન સત્રની શરૂઆત સાથે જ NEET પેપર લીકનો મુદ્દો ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સરકાર તરફથી આ મુદ્દે સ્પષ્ટ વલણ રજૂ કરતાં કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે સરકારે ગોટાળાની જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સંપૂર્ણપણે ફૂલ-પ્રૂફ પરીક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. NEET પરીક્ષામાં ગોટાળાની માહિતી કિરેન રિજિજૂએ જણાવ્યું કે NEET પરીક્ષામાં ગોટાળાની માહિતી મળ્યા બાદ કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 13 લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે…

સોનમ વાંગચુક આવતીકાલે ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે, પત્નીએ મૂકી બે શરતો

લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ જાહેરાત કરી છે કે જો રાજકીય નેતાઓ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષણમાં જવાબદારી અને સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપશે, તો સોનમ વાંગચુક આવતીકાલે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે. ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું કે નેતાઓએ હોસ્પિટલમાં જઈને સોનમ વાંગચુકને રૂબરૂ મળીને વિશ્વાસ આપવો પડશે કે તેઓ સંસદમાં આ મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. આવી ખાતરી મળ્યા બાદ જ તેઓ પોતાની ભૂખ હડતાળનો અંત લાવશે. સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધનું આહ્વાન 20 જુલાઈએ યોજાનારી “સંસદ ચલો” માર્ચ પહેલા ગીતાંજલિ આંગ્મોએ જંતર-મંતર પર હાજર સમર્થકોને સોનમ વાંગચુકનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ અથવા…

વિકસિત ગુજરાત 2026′ વિઝન સાથે રાજ્ય વિકાસની નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે

વિકસિત ગુજરાત 2026′ વિઝન સાથે રાજ્ય વિકાસની નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત વિકાસ, સુશાસન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. **’વિકસિત ગુજરાત 2026’**ના વિઝન સાથે રાજ્ય સરકાર ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ટેક્નોલોજી અને રોજગાર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઝડપી ગતિએ કામ કરી રહી છે. આ અભિગમનો મુખ્ય હેતુ રાજ્યને વધુ સમૃદ્ધ, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાતમાં એક્સપ્રેસ-વે, નવા હાઈવે, મેટ્રો, એરપોર્ટ, બંદરો અને સ્માર્ટ સિટી જેવા અનેક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો વિકાસ થયો છે. આ સાથે ઔદ્યોગિક રોકાણ, MSME સેક્ટરને પ્રોત્સાહન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રમાં આધુનિક શાળાઓ, ડિજિટલ ક્લાસરૂમ, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ…

આજ થી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા શરૂ, શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને ટીપ્સ આપી

ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થવાની છે. આ અનુલક્ષીને, રાજ્યના શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને આ મહત્વપૂર્ણ ક્ષણ માટે તેમને પ્રેરણા પણ આપી છે. “થોડી મહેનત, હવે વિજેતા બનીને પાછા આવો!” શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, “આવતી પરીક્ષામાં તમારું હવે સુધીનું પરિશ્રમ અને મહેનત ફળ આપશે. વર્ષભરનો અભ્યાસ, સમય પર શીખવણીઓ અને લગનના પરિણામે તમારું સફળતા મળશે. આ પરીક્ષા તમારા શૈક્ષણિક જીવનનો મહત્વપૂર્ણ પડાવ છે, અને હવે તમે આ અવસરનો યોગ્ય ઉપયોગ કરો.” આત્મવિશ્વાસ અને એકાગ્રતા: સફળતાની ચાવી શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, “વિદ્યાર્થીઓએ શાંતિથી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવી જોઈએ. પરીક્ષા દરમિયાન તણાવને દૂર રાખો અને પોતાના જ્ઞાન પર વિશ્વાસ રાખો. આ કાર્યક્ષમતા, યોગ્ય તૈયારી અને સમયના સંચાલન સાથે, તમે સફળતા…

શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું

રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે જ સંયુક્ત શિક્ષણ નિયામકે એક પત્ર પણ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શિક્ષકોને આવી કોઈ પણ કામગીરી સોંપવામાં આવી નથી. મીડિયામાં આવતા સમાચારોને લઈને કમિશનર શાળાઓની કચેરીએ સત્તાવાર રીતે પત્ર જાહેર કર્યો છે કે, જિલ્લા શિક્ષણાધિકારીઓને જે આદેશો અપાયા છે તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો કે કર્મચારીઓએ કૂતરાં ગણવાની કામગીરી કરવાની રહેશે. આ સૂચનાઓ માત્ર જાહેરહિતમાં અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે આપવામાં આવી હતી, જેને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.   નામદાર…

બાળકો ગોખણિયા શિક્ષણને કહેશે અલવિદા… રાજ્ય સરકારની નવતર પહેલ, “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ

આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના બાળકો માટે 74 હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના 12.35 લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે. દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “જાદુઈ પીટારા”ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને આપનારું ગુજરાત દેશનું પ્રથમ…

શિક્ષણમાં ભ્રષ્ટાચાર,ક્યારે રોકશે સરકાર ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સુરતમાં 25થી વધુ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં DEOની મિલિભગતથી શિક્ષણ જગતમાં ઉથલપાથલ શંકાના દાયરામાં DEO કર્મચારીઓ ખાનગી શાળાઓના રેકોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર ગેરરીતિઓ સામે આવતા શિક્ષણજગતમાં હાહાકાર Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

વડોદરા: ચૂંટણી પંચની SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

ચૂંટણી પંચની SIR (Systematic Inspection Report) કામગીરીને કારણે વડોદરાના શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહી છે. ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. શિક્ષકોની રજૂઆત મુજબ, BLO (Booth Level Officer) સંબંધિત કામગીરીમાં વ્યસ્ત રહેવાના કારણે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. તેમણે માંગ કરી છે કે ચૂંટણી પંચ સરકારની અન્ય એજન્સીઓને પણ આ કામગીરી સોંપે, જેથી શિક્ષકો શાળામાં પુરી રીતે ફોકસ કરી શકે. હવે આ મુદ્દે શિક્ષકોની રજૂઆતને ધ્યાનમાં લઈ કયા પગલાં લેવાય તે જોવાનું રહેશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in