ઝારખંડ : બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સુરક્ષા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ

ઝારખંડના પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામ અને બાસુકીનાથ મંદિરમાં આ વર્ષે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય શ્રદ્ધાળુઓને સરળ અને સમાન રીતે દર્શન મળી રહે તે માટે VIP દર્શનની સુવિધા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. ઝારખંડ સરકારે શ્રાવણી મેળા દરમિયાન VIP અને આઉટ ઓફ ટર્ન દર્શનની વ્યવસ્થા પર પ્રતિબંધ મૂક્યો છે. 30 જુલાઈથી શરૂ થયેલા શ્રાવણ માસ સાથે જ આ નવી વ્યવસ્થા અમલમાં આવી ગઈ છે અને સમગ્ર શ્રાવણી મેળા દરમિયાન તેનો અમલ કરવામાં આવશે. 30 જુલાઈથી શરૂ થયેલા શ્રાવણ માસ સાથે જ નવી દર્શન વ્યવસ્થા અમલમાં આવી ગઈ છે. આ વ્યવસ્થા સમગ્ર શ્રાવણી મેળા દરમિયાન ચાલુ રહેશે. પ્રશાસનનું કહેવું છે કે શ્રાવણ દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં આવતા ભક્તોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં…