સુપ્રીમ કોર્ટે મોહમ્મદ શમીને નોટિસ ફટકારી, હસીન જહાંની ટ્રાન્સફર અરજી પર માંગ્યો જવાબ
મોહમ્મદ શમીને સુપ્રીમ કોર્ટે બુધવારે નોટિસ ફટકારી છે, જે હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં છે. હસીન જહાંએ કોલકાતામાં દાખલ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવા માંગ કરી છે, જેમાં ઘરેલુ હિંસા અધિનિયમ અને CrPC Section 125 હેઠળ ભરણપોષણ સંબંધિત કેસ સમાવિષ્ટ છે. હસીન જહાંની અરજીઓ હસીન જહાંએ પોતાની પુત્રીના શિક્ષણ અને પરિવારની નજીક રહેવાની જરૂરિયાત દર્શાવી, ટ્રાન્સફર માટે અરજી કરી છે. તેણી જણાવે છે કે મોહમ્મદ શમી ઘણીવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસે રહે છે, અને કોલકાતામાં કેસ લડવું તેના અને પુત્રી માટે મુશ્કેલ બની ગયું છે. અરજદારે જણાવ્યું છે કે તેણે પુત્રીના સર્વાંગી વિકાસ માટે દિલ્હીમાં રહેવું જરૂરી છે અને તેની પાસે સ્વતંત્ર આવક નથી, તેથી ટ્રાયલ માટે યોગ્ય સ્થળ દિલ્હીમાં હોવું જોઈએ. કેસની પૃષ્ઠભૂમિ હસીન જહાં…
ધનવાડામાં ઘરેલું હિંસા સામે કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો; ગ્રામિણ મહિલાઓને અધિકારો અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન
બાવળા તાલુકાના ધનવાડા ગામે સ્થાનિક મહિલાઓને કાયદાકીય રીતે સજ્જ કરવાના ઉમદા હેતુ સાથે ઘરેલું હિંસા પ્રતિબંધક અધિનિયમ, 2005 અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા ગ્રામીણ મહિલાઓને તેમના બંધારણીય અને કાયદાકીય અધિકારોથી વાકેફ કરી, હિંસા મુક્ત સમાજની દિશામાં જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેમિનારમાં મહિલાઓને ઘરેલું હિંસાના કિસ્સામાં મળતી સરકારી સહાય અને કાયદાકીય પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બાવળા મફત કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ અને પ્રોટેક્શન ઓફિસર તન્વી ચાવડાએ ઘરેલું હિંસાની વ્યાખ્યા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, હિંસા માત્ર શારીરિક અત્યાચાર પૂરતી સીમિત નથી. માનસિક ત્રાસ, આર્થિક શોષણ કે અપશબ્દો બોલવા તે પણ કાયદાકીય રીતે ગુનો બને છે. તેમણે પીડિત…








