સૈફ પર જીવલેણ હુમલો: ડોક્ટરોએ કહ્યું- જો છરી વધુ અંદર ગઈ હોત તો તેનું મૃત્યુ થઈ શક્યું હોત

મુંબઈમાં સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. એક અજાણ્યો હુમલાખોર સૈફના બાળકોના રૂમમાં ઘૂસી ગયો. હુમલાખોરે સૈફ પર છ વાર છરી વડે હુમલો કર્યો. છરીનો ટુકડો અભિનેતાના કરોડરજ્જુ પાસે અટવાઈ ગયો હતો. શુક્રવારે, લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ સૈફ અલી ખાનની સર્જરી પછી આરોગ્ય બુલેટિન બહાર પાડ્યું. ડોક્ટરોએ કહ્યું કે છરીનો ટુકડો ફક્ત 2 મીમીના અંતરે અટકી ગયો. ડોક્ટરોનું કહેવું છે કે જો આ ટુકડો થોડો વધુ અંદર ગયો હોત તો કરોડરજ્જુમાં ઈજા થઈ શકી હોત. જો આવું થયું હોત, તો અભિનેતાનો જીવ બચાવવો મુશ્કેલ હોત. હાલમાં સૈફની હાલત સ્થિર છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ડોક્ટરોએ સૈફને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ચેપથી બચાવવા માટે, મુલાકાતીઓ પર પ્રતિબંધ છે. સર્જરી…

સામુહીક આરોગ્ય કેન્દ્ર , આમોદ ખાતે આયુષ્યમાન કેમ્પ અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

–>ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી :-     આમોદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરાવી હતી. તેમની સાથે ભરૂચ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરા ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, આમોદ નગરપાલીકા સદસ્ય બીજલ ભરવાડ, રોગી કલ્યાણ સમિતીના સભ્ય ચંદ્રકાન્ત પટેલ, વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.     આયુષ્યમાન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ૧૧ તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી.જેમાં આમોદ નગરજનો સહિતની આસપાસના ગામલોકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.આયુષ્યમાન કેમ્પમાં ૪૦૦ થી વધુ દર્દીઓએ તેમજ ૪૬૦ થી વધુ દર્દીઓનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં દર્દીઓને સ્થળ ઉપર જ…