Disha Salian કેસમાં નવો વળાંક: 6 વર્ષ બાદ પણ રહસ્ય અકબંધ, સવાલોના જવાબ શોધવા CBI મેદાનમાં!

મુંબઈ: દિશા સાલિયનના મૃત્યુ કેસમાં છ વર્ષ બાદ મોટો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે 2 સપ્ટેમ્બર, 2026ના રોજ Disha Salianના મૃત્યુ મામલે CBI તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે CBIને FIR નોંધવા અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવા માટે કહ્યું છે. આ નિર્ણય બાદ વર્ષોથી ચર્ચામાં રહેલો અને અનેક સવાલોથી ઘેરાયેલો કેસ ફરી એકવાર કેન્દ્રસ્થાને આવ્યો છે. દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. Disha Salian તે સમયે સેલિબ્રિટી મેનેજર તરીકે કાર્યરત હતી અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે પણ કામ કરી ચૂકી હતી. દિશાના મૃત્યુના માત્ર છ દિવસ બાદ, 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પણ પોતાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને…