એથેન્સમાં જંગલની આગ ઓલવતા બે હેલિકોપ્ટર હવામાં અથડાયા: એક પાયલટનું મોત

ગ્રીસની રાજધાની એથેન્સ નજીક જંગલમાં લાગેલી ભયાનક આગને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. આગ ઓલવવાની કામગીરીમાં જોડાયેલા બે અગ્નિશામક હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે અથડાતા એક પાયલટનું મોત થયું છે, જ્યારે ક્રૂના અન્ય સભ્યો ઘાયલ થયા છે. આ અકસ્માત એથેન્સના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાઈથા વિસ્તારમાં થયો હતો. બંને હેલિકોપ્ટર જંગલની આગ પર પાણીનો છંટકાવ કરીને તેને કાબૂમાં લેવાના મિશનમાં સામેલ હતા. દુર્ઘટના બાદ ગ્રીસની સેના, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ તાત્કાલિક મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જંગલની આગ ઓલવતા સમયે થયો અકસ્માત મળતી માહિતી મુજબ, બંને હેલિકોપ્ટર Bell 214ST મોડેલના હતા. આગની ગંભીર સ્થિતિને કારણે ઘણા હેલિકોપ્ટર એક જ વિસ્તારમાં ઉડાન ભરી રહ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે…

ઉત્તર પ્રદેશમાં ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા નયા ગામમાં આવેલી એક ફટાકડા ફેક્ટ્રીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે કેટલાક અન્ય લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ, ફાયર બ્રિગેડ અને રાહત ટીમો દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિસ્ફોટ બાદ ફેક્ટ્રીનો ભાગ ધરાશાયી મળતી માહિતી મુજબ, ફટાકડા ફેક્ટ્રીમાં થયેલા વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે ફેક્ટ્રીનો એક મોટો ભાગ ધરાશાયી…

ફિલિપાઇન્સમાં ભીષણ આગ: 1000 ઘરો બળીને રાખ,5000થી વધુ લોકો બેઘર

દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ શહેર નજીક આવેલા એક નાના ટાપુ પર મંગળવાર રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક આખી વસાહત નાશ પામી હતી. આગમાં અંદાજે 1000 ઘરો બળીને રાખ થયા છે અને 5000થી વધુ લોકો બેઘર બન્યા છે. સમાચાર એજન્સી પીએનએ મુજબ, આગ બારંગે લામિયન વિસ્તારમાં લાગી હતી. આ વિસ્તાર દરિયાના પાણી ઉપર લાકડાના સ્થીલ્ટ પર બનેલા ઘરો માટે જાણીતો છે. મોટાભાગના ઘરો લાકડા, વાંસ અને નાળિયેરના પાન જેવા હળવા પદાર્થોથી બનેલા હોવાથી આગ ઝડપથી એક ઘરથી બીજા ઘરમાં ફેલાઈ ગઈ. જોરદાર પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લગભગ ચાર કલાક સુધી સળગતી રહી. આગ એટલી ભયંકર હતી કે આખી વસાહત ખાલી કરાવવી પડી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં વિશાળ…

કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત

કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. રાજ્ય એરલાઇન SATENA મુજબ, વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ લેન્ડિંગના માત્ર 11 મિનિટ પહેલા રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો છેલ્લો સંકેત કૅટટુમ્બો (Catatumbo) વિસ્તાર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દુર્ગમ પહાડી વિસ્તારમાં મળ્યો કાટમાળ ઘણા કલાકોની શોધખોળ બાદ બચાવ ટીમોને કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ…

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં LPG સિલિન્ડર બ્લાસ્ટની ઘટના, 4–5 મકાન બળીને થયા ખાખ

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દછન વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભીષણ આગની ઘટના બની છે. સિલિન્ડર વિસ્ફોટ બાદ લાગેલી આગમાં 4થી 5 મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, દછન વિસ્તાર પર્વતીય હોવાથી ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ હિંમત દાખવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી આગ પર કાબુ ઘટનાની જાણ થતા કિશ્તવાડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લેવા કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે અનેક પરિવારોને ભારે આર્થિક નુકસાન થયું છે. આગમાં ઘર બળીને ખાખ…

ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ

ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ થાય છે. ઘટના વિગત – આગ રાત્રે લગભગ 12 વાગ્યે લાગી. – આગનું મૂળ કારણ કિચન વિભાગમાંથી હોવાનું પ્રાથમિક અનુમાન. – ભાગવાની કોશિશમાં બે મૃતદેહ સીડીઓ પર મળ્યા. – ઘણા લોકો દાઝવાથી નહીં, પરંતુ શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા. – ઘટનાની જાણ થતા જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક BJP MLA માઈકલ લોબો સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. CM સાવંતનું નિવેદન સીએમએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે “આ દુર્ઘટના ખૂબ જ પીડાદાયક છે. સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી…

વિનાશક ‘દિત્વાહ’ ચક્રવાત ભારત તરફ આગળ: શ્રીલંકામાં 123ના મોત, દક્ષિણ ભારતમાં ‘રેડ એલર્ટ’

દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકા પર સક્રિય બનેલું ચક્રવાત ‘દિત્વાહ’ (Ditwah) હવે ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રીલંકામાં આ વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધી પૂર અને ભૂસ્ખલનના કારણે 123 લોકોનાં મોત નિપજ્યાં છે અને 130થી વધુ લોકો હજુ ગુમ છે. લગભગ 44,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારત તરફ આગળ વધતું ચક્રવાત IMD અનુસાર ચક્રવાત દિત્વાહ છેલ્લા છ કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે સવારે 8:30 વાગ્યે તે શ્રીલંકાથી 80 કિમી પૂર્વ, તથા ચેન્નાઈથી 380 કિમી દક્ષિણ દિશામાં કેન્દ્રિત હતું. દક્ષિણ ભારત માટે ભારે–અતિભારે વરસાદની ચેતવણી IMDએ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ભારે અને અતિભારે વરસાદની આગાહી કરી છે। તમિલનાડુ અને પુડુચેરી 29–30…

હોંગકોંગમાં ભયાનક આગ: સાત ઇમારતો જ્વાળાઓની લપેટમાં, 36 લોકોના મોત 279 ગુમ

હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં બપોરે ભયાનક આગ ફાટી નીકળી હતી, જે શહેરમાં વર્ષોની સૌથી ભયાનક દુર્ઘટના સાબિત થઈ છે. અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનામાં એક અગ્નિશામક પણ મોતને ભેટ્યો છે. આગ કઈ રીતે ફાટી નીકળી? આગ ચીનના શેનઝેનની સરહદ નજીકના તાઈ પો વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક સંકુલમાં ફાટી નીકળી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આગે સાત ઇમારતોમાં ફેલાઈ ગઈ, જેમાં એક પડોશી ટાવર પણ અસરગ્રસ્ત થયો. આ ઘટનાના પગલે 900 થી વધુ લોકો સ્થળાંતર કરવામાં આવ્યા અને સેંકડો લોકોને કાંઠા પર કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક તપાસ અને પોલીસ કાર્યવાહી હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ જણાવ્યું કે આગના કારણની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ…

મોરબી: પીપળી પાસે જેટકોના સબસ્ટેશનમાં વિકરાળ આગ, મેજર કોલ જાહેર

મોરબી જિલ્લામાં આજે સવારે મોટી દુર્ઘટના બની હતી, જ્યારે પીપળી ગામ નજીક આવેલ જેટકો (GETCO)ના 220 કિલોવોલ્ટ સબસ્ટેશનમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ મિનિટોમાં સમગ્ર સબસ્ટેશન જ્વાળાઓની ઝપેટમાં આવી ગયું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. આગ બુઝાવવા 5 ફાયર ટીમો ત્વરિત પહોંચી મળતી માહિતી મુજબ, હાલ મોરબીની બે, રાજકોટની બે અને વાંકાનેરની એક મળી કુલ પાંચ ફાયર ફાઇટિંગ ટીમો આગ પર કાબૂ મેળવવા સતત પાણીનો મારો ચલાવી રહી છે. સબસ્ટેશનમાં રહેલા ટ્રાન્સફોર્મર ઓઇલ ફાટી નીકળતા જ્વાળાઓ વધુ વિકરાળ બની ગઈ છે. આગ એટલી ભારે છે કે દૂરથી ધુમાડાના ગોઠા દેખાઈ રહ્યા છે. મોરબીના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ આ સબસ્ટેશન મારફતે મોરબી શહેર…

અયોધ્યામાં ઘરમાં વિસ્ફોટથી ત્રણ બાળક સહિત પાંચનાં મોત, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

અયોધ્યાના પાગલા ભારી ગામમાં ગુરુવારની રાત્રે એક ઘરમાં થયેલા ભયંકર વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર દળી ઉઠ્યો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખું ઘર જ ધરાશાયી થઇ ગયું અને ઘટનામાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ કેટલાક લોકો કાટમાળ હેઠળ દટાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાનું સ્થળ અને પ્રાથમિક વિગતો વિસ્ફોટ અયોધ્યાના પૂરા કલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાગલા ભારી ગામમાં એક ખાનગી નિવાસમાં થયો હતો. મૃતક રામકુમાર ઉર્ફે પારસનાથ પોતાના પરિવાર સાથે ગામની બહાર એક મકાનમાં રહેતા હતા. રાત્રે અચાનક વિસ્ફોટ થતા મકાન તોડી પડ્યું અને અંદરના સભ્યો કાટમાળમાં દટાઈ ગયા. બચાવ કામગીરીમાં ત્વરિત કાર્યવાહી SSP ડૉ. ગૌરવ ગ્રોવર, સિટી SP ચક્રપાણી ત્રિપાઠી અને CO અયોધ્યા સહિત સુરક્ષા દળો અને વહીવટી…