હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

કોલકાતા: નઝીરાબાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત 20 જેટલા લાપતા

ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026ના સવારે લગભગ 3 વાગ્યે ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો હજુ પણ લાપતા છે. સાંકડી ગલીઓમાં બચાવ કાર્ય અડચણભર્યું અગ્નિગામ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી 15 ફાયર બ્રિગેડ ટીમોને ગોડાઉનમાં પ્રવેશ અને પાણી પહોંચાડવામાં મુશ્કેલી આવી, કારણ કે વિસ્તાર ખૂબ સાંકડી ગલીમાં આવેલો હતો. આગ એટલી વિકરાળ હતી કે બાજુના ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ અને લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો. લોકોનો આક્ષેપ સ્થાનિકો અને શ્રમિકોનો આક્ષેપ છે કે ગોડાઉનના દરવાજા બહારથી બંધ હતાં, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાનો…

ઈરાનની સૌથી મોટી ડેરી ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, આગથી આખું માળખું બળીને ખાખ

ઈરાનના ઉત્તરીય શહેર આમોલમાં આવેલી કાલેહ ડેરી ફેક્ટરી, જે દેશની સૌથી મોટી ડેરી ઉત્પાદક ફેક્ટરી માનવામાં આવે છે, ત્યાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. દુર્ઘટનાના પગલે ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જે એટલી વિકરાળ હતી કે ધુમાડાના કાળા વાદળો દૂર સુધી જોવા મળ્યા. આ ઘટનાથી ઈરાનના ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. સ્થાનિક તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ફેક્ટરીનું સમગ્ર માળખું બળીને ખાખ થઈ ગયું છે. આ દુર્ઘટનાની વિગતો અને નુકસાનનું મૂલ્યાંકન હજુ પણ ચાલી રહ્યું છે, અને આ વિશે અધિકારીઓ દ્વારા વધુ જાણકારી આપવામાં આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો

મ્યાનમાર, બેંગકોક, ચીન અને ભારતની ભૂમિને વિનાશક ભૂકંપે હચમચાવી દીધી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 જણાવવામાં આવી રહી છે અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગ શહેર નજીક હતું. ભૂકંપથી બેંગકોકમાં સૌથી વધુ વિનાશ થયો છે. ત્યાં ગગનચુંબી ઇમારતો પત્તાના ઢગલા જેવી તૂટી પડી. એક મસ્જિદ ધરાશાયી થઈ છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પણ વાંચો :- UAE 500થી વધુ ભારતીય નાગરિકો સહિત 1295 કેદીઓને મુક્ત કરશે, રમઝાન પર સામુહિક માફીની જાહેરાત યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાગાઇંગ શહેરથી 16 કિમી ઉત્તરપશ્ચિમમાં, મંડલે નજીક અને સપાટીથી 10 કિમી નીચે હતું. ભૂકંપના કારણે રાજધાની નાયપીડોના રસ્તાઓ પર મોટી તિરાડો પડી ગઈ છે અને ઘણી ઊંચી ઇમારતોને પણ નુકસાન થયું…

તિરુપતિમાં નાસભાગમાં થયેલા મોતનો મામલો, ગેટ ખોલનાર DSP સામે FIR

તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાત્રે એક દુ:ખદ ભાગદોડ મચી ગઈ હતી જેમાં છ ભક્તોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે સેંકડો ભક્તો ભગવાનના દર્શન માટે એકઠા થયા હતા અને ‘વૈકુંઠ દ્વાર દર્શનમ’ માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ખાસ પ્રસંગ 10 જાન્યુઆરીથી શરૂ થતા 10 દિવસના વૈકુંઠ દ્વાર દર્શનમનો હતો, જેના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો તિરુપતિ પહોંચ્યા હતા. ભક્તોની ભીડ ટિકિટ મેળવવા માટે આગળ વધવા લાગી ત્યારે નાસભાગ મચી ગઈ. આ ઘટના તિરુમાલાના બૈરાગી પટ્ટેડા વિસ્તારમાં એમજીએમ સ્કૂલ પાસે થઇ હતી, જે મંદિરની નજીકનો વ્યસ્ત વિસ્તાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક બીમાર મહિલાને બહાર કાઢવા માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા…