📱 એક ક્લિકની ભૂલ બની શકે મોટું નુકસાન!

સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીથી કેવી રીતે બચશો? અમદાવાદ: સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. Facebook, Instagram, WhatsApp, Telegram અને અન્ય પ્લેટફોર્મ્સ પર લોકો વધુ સમય વિતાવી રહ્યા છે. પરંતુ તેની સાથે ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાયબર ઠગો વિવિધ રીતો અપનાવી લોકોને આર્થિક અને વ્યક્તિગત નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. નકલી પ્રોફાઇલ, ફેક લિંક્સ, લોટરી જીત્યાના મેસેજ, નકલી નોકરીની ઓફર, રોકાણ પર વધુ નફાના વાયદા અને OTP અથવા બેંકિંગ માહિતી માંગતા મેસેજ જેવી છેતરપિંડીની રીતો આજે સામાન્ય બની ગઈ છે. આવા સંજોગોમાં દરેક સોશિયલ મીડિયા યુઝરે સાવચેત રહેવાની જરૂર છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા મુજબ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ તરત સ્વીકારવો નહીં. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરતા…

અમિત શાહે આપ્યું સાયબર ખતરા અંગે મોટું એલર્ટ, મોબાઇલમાં ડેટા સુરક્ષિત નથી

ભારત ઝડપી ગતિથી ડિજિટલ યુગમાં આગળ વધતું હોવા છતાં ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મોબાઈલ અને ડિજિટલ પ્લેટફોર્મમાં આપનો ડેટા હવે સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે સાઇબર ફ્રોડ અને ડેટા ચોરી હવે માત્ર વ્યક્તિગત નુકસાનની બાબત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડે છે. અમિત શાહે જણાવ્યું કે સંવેદનશીલ ડેટા દુશ્મન તત્વોના હાથમાં જાય તો આ અર્થતંત્ર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રની કામગીરીને અસર કરી શકે છે. બેંકિંગ, ટેક્સ, હેલ્થ, ટેલિકોમ અને નાગરિકોની ખાનગી માહિતી હવે મોટા પાયે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ખોટા હાથમાં આ માહિતી જાય તો તેનો પ્રભાવ વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરે ગંભીર થાય છે. સરકાર અને તપાસ એજન્સીઓએ મળીને અત્યાર સુધી લગભગ 8,000 કરોડ રૂપિયાની સાઇબર ઠગાઈ અટકાવી છે. આ…

SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે સાફ થઈ શકે છે બેંક એકાઉન્ટ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વની ચેતવણી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી WhatsApp પર એક ખતરનાક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવે છે કે જો તરત આધાર કાર્ડ અપડેટ નહીં કરવામાં આવે, તો YONO મોબાઈલ એપ બ્લોક કરી દેવામાં આવશે. આ મેસેજ સાથે એક અજાણી APK ફાઈલ મોકલવામાં આવી રહી છે, જેને ઇન્સ્ટોલ કરવા માટે દબાણ કરવામાં આવે છે. હકીકતમાં આ મેસેજ સંપૂર્ણ નકલી છે અને સાયબર ઠગો દ્વારા ગ્રાહકોને છેતરવા માટે રચાયેલ જાળ છે. SBIની સત્તાવાર ચેતવણી SBIએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બેંક ક્યારેય WhatsApp, SMS અથવા કોલ દ્વારા કોઈ લિંક કે APK ફાઈલ મોકલતી નથી અને ન તો…

Grokના દુરુપયોગ સામે કેન્દ્ર સરકાર કડક, X પાસેથી કાર્યવાહીનો અહેવાલ માગ્યો

કેન્દ્ર સરકારે AI-આધારિત સેવાઓના દુરુપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને Grok અને અન્ય xAI પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા અશ્લીલ, નગ્ન, અભદ્ર અને જાતીય રીતે સ્પષ્ટ સામગ્રીનું સર્જન, હોસ્ટિંગ અને શેરિંગ થવાનો મામલો ઊભો થયો છે. સરકારે સોશિયલ મીડિયા કંપની Xને પત્ર લખીને તેના દ્વારા લેવાયેલા પગલાં અંગે સ્પષ્ટ અહેવાલ માંગ્યો છે. Grok અને xAI સેવાઓનો દુરુપયોગ સરકારના પત્રમાં જણાવ્યું છે કે, Grok જેવી AI-આધારિત સેવાઓનો ઉપયોગ કેટલાક વપરાશકર્તાઓ દ્વારા મહિલાઓને અશ્લીલ રીતે દર્શાવતી છબીઓ અને વીડિયોઝ બનાવવામાં માટે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને, આ પ્રકારની સામગ્રી નકલી એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે, જેના કારણે ઓનલાઈન સુરક્ષા અને વપરાશકર્તાઓના અધિકારો માટે ગંભીર જોખમ ઉભું થયું છે. નકલી એકાઉન્ટ્સ અને ફોટા હેરફેરનો ખતરો પત્રમાં…

સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત

દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટએ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ અશ્લીલ અને માનસિક અસર પહોંચાડનારા કન્ટેન્ટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, “મોબાઇલમાં એપ ખોલતા જ એવો કન્ટેન્ટ સામે આવી જાય છે, જે જોવો યોગ્ય નથી. સમાજ પર આનો પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે.” કોર્ટએ સ્પષ્ટ કર્યું કે— – OTT અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ શરૂ થવા પહેલાં સ્પષ્ટ એલર્ટ અને ડિસ્ક્લેમર ફરજિયાત હોવા જોઈએ. – માત્ર 18+ પ્રેક્ષકો પર ફોકસ પૂરતું નથી;…

28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો તેના મહત્વ વિષે

દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે સલામત અને સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો અને કર્મચારીઓના જીવન અને આરોગ્ય માટે જાગૃતિ ફેલાવવાની. કેમ ઉજવાય છે આ દિવસ? આ દિવસ એ યાદ અપાવે છે કે દરેક વ્યક્તિને એવી કામકાજની જગ્યા મળવી જોઈએ જ્યાં તે નિર્ભય રીતે કામ કરી શકે અને જ્યાં સલામતીના પૂરતા ઉપાયો હોય. ઘણી વખત, નાની બેદરકારી જીવલેણ બની શકે છે. આ દિવસ એ સમજાવે છે કે “સલામતીમાં કોઈ પણ સમાધાન ચાલશે નહીં.” ઇતિહાસ આ દિવસની શરૂઆત આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી. જોકે, 28 એપ્રિલની તારીખ પસંદ કરવાનું…