ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલમાં.. થયો હુમલાનો પ્રયાસ; જાણો શું છે વિવાદ

આજે ગોંડલમાં રવિવારે રણસંગ્રામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા છે. જેને લઈને ગોંડલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ પાટીદાર આગેવાનની એક ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને કાચ કોડી નાખવામાં આવ્યા છે. ગણેશ ગોંડલના પડકાર બાદ ગોંડલમાં અલ્પેશ કથીરિયા જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયા પહોંચ્યા હતા. જ્યાં તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ પાટીદાર અગ્રણીઑ ગોંડલના આશાપુરા મંદિરે દર્શન કર્યા બાદ અલ્પેશ કથીરિયા જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયા અક્ષર મંદિર ખાતે દર્શન કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં અક્ષર મંદિરની બહાર ગોંડલના શહેરીજનો અને ગ્રામજનો સહિતના લોકો દ્વારા બેનરો સાથે કાળા વાવટા અને અલગ અલગ સૂત્રોના…