ઉંચડી સરકારી આયુર્વેદ દવાખાને યોગ શિબિરનું આયોજન કરાયું

–> જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદમાં માર્ગદર્શન હેઠળ ધંધુકાના ઉંચડી ખાતે સરકારી દવાખાને આયુષ વેલનસ સેન્ટર દ્વારા યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું:–     B INDIA અમદાવાદ : ધંધુકાના ઉંચડી ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું. જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયુષ વેલનસ સેન્ટર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આયુષ વેલનસ સેન્ટર દ્વારા કુલ 25 થી વધારે બાળકોને યોગ આસાન પ્રાણાયામની સમજૂતી આપી, યોગના લાભ તેમજ યોગની પ્રેક્ટિકલ સમજણ આપી હતી. આ યોગમાં ઉંચડી ગામ પ્રાથમિક શાળાના મેડિકલ ઓફિસર પણ હાજર રહ્યા હતા. સંચાલક અનિલભાઈ મકવાણા તથા વર્ષાબેન પટેલ હતા.  

ધંધુકાની પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો અને બાળ અધિકાર તાલીમ શિબિર યોજાઈ

B INDIA ધંધુકાના ભાલ પંથકના ધોળી વિસ્તારના પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધંધુકાની મિશ્ર 1 પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો તાલીમ શિબિર યોજવામાં આવી હતી.   18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણ , જાતીય સતામણી તેમજ તેને લગતા કાયદાઓની સમજ આપવી ખૂબ જ જરૂરી છે , કારણ કે ઘણી વખત ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે , પરંતુ બાળકોને તેની પૂરતી જાણકારી ન હોવાના કારણે તે બનાવો બહાર આવતા નથી અને દબાઈ જતા હોય છે.     દેશમાં દિવસેને દિવસે  હત્યા, લૂંટ, ચોરી, છેડતી જેવા ગંભીર ગુનાહો વધી રહ્યા છે.જેના કારણે લોકો સરળતાથી બહાર નિકળી શકતા નથી.આ પ્રકારના ગુન્હાઓને રોકવા તંત્ર દ્વારા સતત પ્રયાસો થતા રહે છે.પરંતું સમયની સાથે સાથે ગુન્હા ખોરી વધતી રહેતી હોય…

ધંધુકામાં બ્રહ્મકુમારી દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો

પ્રજાપિતા બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાની પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી યુનિવર્સિટી દ્વારા આજે ધંધુકા ખાતે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ફરતા સમય ચક્રમાં એક સમય એવો આવે છે જ્યારે સમગ્ર માનવ સૃષ્ટિ તેની તમોપ્રધાન સ્થિતિમાં પહોંચે છે, જ્યારે માનવ આત્માઓ તેમના વિકારોને કારણે પીડા અને દુઃખથી પીડિત હોય છે, ત્યારે તેઓ ભગવાન શિવને બોલાવે છે, જે તેમના સુખ અને દુ:ખને દૂર કરે છે. તેમણે આ કળિયુગમાં બ્રહ્માંડનું પરિવર્તન કરવાના અને આ પ્રવાહ પર આ બ્રહ્મ દ્વારા સુખ અને શાંતિની દુનિયા સ્થાપિત કરવાના મહાન કાર્ય માટે ભૌતિક શરીરમાં આ બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો. તેમણે એક માંસલ શરીરમાં અવતાર લીધો. તે બન્યું છે.     આ સૃષ્ટિમાં સાકાર શરીરમાં પ્રવેશ કરી આ કલયુગ સૃષ્ટિને સાકર શરીરમાં…